દ્વારકાના ધ્રેવાડ તાલુકામાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. જેમાં 3 પુરૂષ અને એક મહિલાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મૃતક પરિવાર દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.
દ્વારકાના ધ્રેવાડ તાલુકામાં ડમ્પર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં મૃત્યુ નિપજ્યાં
પોલીસે સમગ્ર મામલે ઘટનાસ્થળે પહોંચીને કરી કાર્યવાહી
રાજ્યમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ બને છે જેનો નિર્દોષ લોકો પણ ભોગ બને છે. ત્યારે આજે(મંગળવાર) જામનગર-દ્વારકા હાઇવે પર ધ્રેવાડ તાલુકામાં ડમ્પર અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે કારને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કુલ 4 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે.
મળતી માહિતી અનુસાર 3 પુરૂષના ઘટનાસ્થળે અને 1 મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઈજાગ્રસ્તને મહિલાને સારવાર અર્થે દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની ધ્રેવાડ ગામજનોને જાણ થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. ગ્રામજનોએ સમગ્ર ઘટનાની જાણ દ્વારકા પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.