આવતીકાલથી 2 દિવસીય શહેરીક્ષેત્રનો શાળા પ્રવેશોત્સવ યોજાવા જઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યની 1277 પ્રાથમિક અને 1550 માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે. આ અવસર પર મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે.
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા ખાતે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. આ સિવાય પણ રાજ્યના મંત્રીઓ સહિત 57 જેટલા મહાનુભાવો પણ વિવિધ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે.
આ 2 દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 36 IAS સહિત 115 ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થશે. મહત્વનું છે કે આ વખતે રાજ્યની 1277 પ્રાથમિક અને 1550 માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે અને આ અવસર પર મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે.