1984માં શિખ વિરોધી રમખાણ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જનકુમારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સજ્જન કુમારે મેડિકલ આધાર પર જામીનની અરજી કરી હતી, જેને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કોંગ્રેસના નેતાને આગતરા રાહત આપવાને લઇને ઇન્કાર કરી દીધો. સુપ્રીમ કોર્ટે AIIMS ના રિપોર્ટને લઇને સજ્જનકુમારને રાહત આપવાને લઇને ઇન્કાર કરી દીધો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે AIIMS ના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓને હોસ્પિટલમં દાખલ કરવાની જરૂરિયાત નથી. આ સાથે જ કોર્ટે જણાવ્યું કે તેમની નિયમિત જામીન અરજી પર જુલાઇમાં સુનાવણી કરવામાં આવશે.
1984 શિખ વિરોધી રમખાણના મામલે તપાસ કરનાર વિશેષ તપાસ દળના રિપોર્ટમાં પોલિસ, પ્રશાસન અને એટલે સુધી ન્યાયપાલિકાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યો છે કે અપરાધીઓને કોઇ સજા આપવાની ઇચ્છા નહોતી અને જ્જોએ 'સામાન્ય રીતે' આરોપીઓને છોડી દીધા.
શિખ વિરોધી રમખાણો સાથે સંબંધિત 186 બંધ કરાયેલા મામલાઓની ફરી તપાસ દળનું ગઠન કર્યું હતું. દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ એસ એન ઢીંગરાની અધ્યક્ષતાવાળી તપાસ દળે પોતાનો રિપોર્ટમાં જણાવ્યું છે કે એવું લાગે છે કે પોલીસ અને તંત્રનો 'બધો પ્રયાસ' રમખાણ સંબંધિત આપરાધિક મામલાઓને દબાવાનો હતો.
1984 anti-Sikh riots case: No relief for convict Sajjan Kumar as Supreme Court says his bail application will be considered in July. (file pic) pic.twitter.com/4E7zmF3dh9
પસંદ કરેલા લોકોને બચાવવા માટે કેસ દાખલ કરવામાં આવ્યા હતા
રિપોર્ટ અનુસાર પસંદ કરાયેલા લોકોને સ્વચ્છ જાહેર કરવા માટે કેસ નોંધવામાં આવ્યાં હતા. સુપ્રીમે 11 જાન્યુઆરી 2018ના રોજ વિશેષ તપાસ પંચનું ગઠન કરી તેને 186 મામલાઓની તપાસની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી હતી. આ મામલાઓને બંધ કરવાને લઇને પહેલાથી જ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.