ઝારખંડના ધનબાદના ફ્લેટમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 14 લોકો જીવતા બળી ગયા છે અને હજુ ઘણા ફસાયેલા છે.
ઝારખંડના ધનબાદના ફ્લેટમાં લાગી મોતની આગ
14 રહેવાશીઓ જીવતા બળી મર્યા
ઘણા હજુ પણ આગમાં ફસાયા
મોતનો આંકડો વધી શકે
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
ઝારખંડના ધનબાદ જિલ્લાના શક્તિ મંદિર રોડ પર આવેલા આશિર્વાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મંગળવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ લાગ્યા બાદથી ઘણા લોકો એપાર્ટમેન્ટમાં ફસાયા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. તેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. સાથે જ આ અકસ્માતમાં અન્ય ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
#UPDATE | 14 dead including 10 women, 3 children and a man in the massive fire that broke out in an apartment in Dhanbad. Rescue operation is still underway at the site: Deputy Commissioner, Dhanbad
Jharkhand | Visuals from outside Dhanbad apartment where a massive fire broke out. Rescue operation is still underway at the site. pic.twitter.com/3aZZ1MnbPn
બિલ્ડિંગની અંદર 100થી વધુ લોકો ફસાયા
આ ઘટના બાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ લાઈનમાંથી ખાસ વધારાની ફોર્સ બોલાવાઈ હતી. ધનબાદની 50થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે હાજર છે. બિલ્ડિંગની અંદર 100થી વધુ લોકો ફસાયેલા છે. ફાયર બ્રિગેડની બચાવ કામગીરી ચાલી રહી છે.
બાળકો અને મહિલાઓની ચીસોથી ગૂંજી બિલ્ડિંગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એપાર્ટમેન્ટના ઉપરના માળેથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની ચીસો સંભળાઈ રહી છે. વીડિયોમાં એપાર્ટમેન્ટમાં લાગેલી આગ દૂરથી જ જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એપાર્ટમેન્ટમાં લાગેલી આગ ધીમે ધીમે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે.
હજારીબાગની આગમાં બે બાળકો સળગીને ભડથું
હજારીબાગ જિલ્લામાં એક ઘરમાં લાગેલી આગમાં બે બાળકો બળીને ભડથું થઈ ગયા હતા. આગ લાગી ત્યારે બંને ભાઇ-બહેન સૂતા હતા. હઝારીબાગના પોલીસ અધિક્ષક મનોજ રતન ચોથાએ જણાવ્યું હતું કે, ઘરની છત પેલેટની બનેલી હતી, જે કદાચ ઇલેક્ટ્રિક વાયરમાંથી નીકળતા તણખાને કારણે થઈ હતી.