કળી ખીલે એ પહેલા જ કરમાઈ ગઈ. 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ કોઈનું શું બગાડ્યુ હશે કે તેની ઘાતકી હત્યા કરવામાં આવી? ટ્યુશનનું કહીને ગયેલા વિદ્યાર્થીનું લોહિલુહણ શરીર જોતા તેની માતાના ગગનભેદી આંક્રદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. આસપાસના સૌ કોઈ આ કરૂણ ઘટના જોઈ છળી ઉઠ્યા હતા.
12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ એવું તે શું કર્યુ હશે કે તેની હત્યા થઈ ગઈ?
વિષ્ણુ નગર ખાતે વિદ્યાર્થીની ચપ્પુના ઘાં ઝીંકી હત્યા
રોહિત બાવિસ્કર નામના વિદ્યાર્થીની હત્યા
વિદ્યાર્થી ધોરણ 12 અભ્યાસ કરતો હતો
સુરતના ઉધના વિસ્તારમાં 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઉધનામાં જ વિષ્ણુ નગર ખાતે વિદ્યાર્થીની ચપ્પુના ઘાં ઝીંકી કરપીણ હત્યા કરાઈ હતી. રોહિતનો પરિવાર આ સાંભળીને હક્કો બક્કો રહી ગયો હતો. ટ્યુશનનું કહીને ગયેલા દીકરાનું લોહીલુહાણ શરીર ઘરે આવતા માતાનું આક્રંદે સૌના કોઈના હૈયે ફાળ પાડી હતી.
સારવાર દરમિયાન મોત
રોહિત બાવિસ્કર નામના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. રોહિત 12માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. ઘાયલ રોહિતને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ.
કેમ કરાઈ હત્યા
અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.