માલ્યા અને નિરવ મોદી જેવા હજારો ઠગોએ દેશની બેંકોને છેતર્યા છે. લાખો કરોડોનું નુકસાન થયું છે આ ઠગોથી બેંકોને. હાલના નાણાકીય વર્ષનાં ત્રણ ક્વાર્ટર એટલે કે એપ્રિલથી ડિસેમ્બર સુધી એટલે કે 9 મહિનામાં 18 સરકારી બેંકોમાંથી 1.17 લાખ કરોડ રુપિયાની છેતરપિંડી સામે આવી છે. આ છેતરપિંડી 8,926 કેસમાં કરવામાં આવી છે. મહતવની વાત તો એ છે કે સૌથી વધારે છેતરપિંડીનો શિકાર દેશની સૌથી મોટી શાહુકાર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા થઈ છે.
છેતરપિંડીનો સૌથી મોટો શિકાર SBI
બીજા નંબર પર પંજાબ નેશનલ બેંક
સરકારી બેંકમાં સૌથી વધારે છેતરપિંડી
સરકારે બેંકોમાં 1.17 લાખ કરોડની છેતરપિંડી
એક આરટીઆઈ કાર્યકર્તાએ માહિતી અધિકારનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી આ જાણકારી મેળવી છે. તેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બર 19સુધી 9 મહિના દરમિયાન 30,300 કરોડની છેતરપિંડીના 4,769 કેસ SBIએ દાખલ કરાવ્યાં છે. સરકારે બેંકોમાં 1.17 લાખ કરોડની છેતરપિંડી સામે આવી છે. જે 26 ટકા છે. પંજાબ નેશનલ બેંકએ 294 કેસ દાખલ કરાવ્યાં છે જેમાં 14,928.62 કરોડની છેતરપિંડી થઈ છે. નુકસાનમાં તે SBI પછી બીજા નંબરની બેંક છે.
કેટલા કેસ છે.
બેંક ઓફ બરોડામાં 250 કેસમાં 11,166.19 કરોડની છેતરપિંડી સામે આવી છે. અલ્હાબાદ બેંકે 860 કેસ દાખલ કરાવ્યાં હતાં. જેમાં 6,781.57 કરોડની છેતરપિંડી સામે આવી છે. બેંક ઓફ ઈન્ડિયાનાં 161 કેસમાં 6,626. 12 કરોડ, યૂનિયન બેંકના 292 કેસમાં 5,604,55 કરોડની છેતરપિંડી થઈ છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે 282 કેસ દાખલ કર્યા છે. જેમાં 4,899.27 કરોડની છેતરપિંડી થઈ છે.
31,600 કરોડ રુપિયાનું નુકસાન
કેનરા બેંક, સિન્ડિકેટ બેંક, કોર્પોરેશન બેંક , બેંક ઓફ મહારાશષ્ટ્ર, યુકો બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, આંઘ્ર બેંક, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને પંજાબ તથા સિંધ બેંકમાં 1867 કેસ સામે આવ્યાં છે. જેમાં કુલ 31,600 કરોડની છેતરપિંડી થઈ છે.