બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / Extra / election-exit-polls-are-rarely-true-congress-is-winning-and-bjp-losing-hardik-patel-paas
vtvAdmin
Last Updated: 05:38 PM, 30 March 2019
અંબાજીમાં આજે પાસ નેતા હાર્દિક પટેલે માં અંબાના દર્શન માટે અંબાજી આવ્યા હતા. અંબાજીમાં અંબાના દર્શન કરી સૌનું કલ્યાણ થાય તે માટે તેઓએ પ્રાર્થના કરી હતી.
ગુજરાત ચૂંટણીમાં એક્ઝીટ પોલ મામલે તેઓએ આક્ષેપ કર્યા હતા કે માત્ર એક્ઝીટ પોલના આધારે ચૂંટણીનું પરિણામ નક્કી ન કરી શકાય. અત્યાર સુધી એક્ઝીટ પોલ માત્ર એક જ વાર સાચા સાબિત થયા છે બાકી હજુ સુધી એક્ઝીટ પોલ સાચા સાબિત થતા નથી.
હાર્દિક પટેલે આજે અંબાજીમાં માં અંબાના દર્શન કર્યા હતા. માં અંબાના દેશન કરી તેમને ધન્યતા અનુભવી છે. ચૂંટણીમાં EVM મુદ્દે હાર્દિકે કરેલા ટ્વીટ મામલે તેમને જણાવ્યું હતું કે લોકશાહી માટે EVM ને લઈ જે ચર્ચાઓ થઇ રહી છે તે ખુબ જ દુઃખદ બાબત છે.
લોકોએ પોતાનો વોટ આપ્યા બાદ પણ ચિંતા કરવી પડે તે લોકશાહી માટે ખતરારૂપ બાબત છે. ચૂંટણી બાદ ન્યુઝ ચેનલો દ્વારા એકઝીટ પોલ આપવામાં આવ્યા છે તે સાચા પડવાના નથી. આ ચૂંટણીમાં ગરીબો દલિતો અને યુવાનો અને ખેડૂતોની સરકાર બનવાની છે.
જે પણ અહંકારી અને ઘમંડીઓ ચૂંટણીમાં હારવાના છે. અત્યાર સુધી માત્ર એક જ વાર એકઝીટ પોલ સાચા સાબિત થયા છે. જેથી હવે ગુજરાતમાં એક્ઝીટ પોલ સાબિત થાય તેવી કોઈ શક્યતા નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક બાદ એક નેતાઓ માં અંબાના ચરણમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી અને તે બાદ આજે હાર્દિક પટેલ પણ માં અંબાના શરણમાં આવ્યા છે. જોવાનું એ રહેશે કે આખરે ક્યાં નેતાઓની મનોકામના પૂર્ણ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ