બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ભારત / બકરાના કાળજાએ માણસને મરાવી નાખ્યો, મારીને ખાવા ગયો તેમાં ભૂંડી રીતે મર્યો

માંસહારવાળા ચેતો / બકરાના કાળજાએ માણસને મરાવી નાખ્યો, મારીને ખાવા ગયો તેમાં ભૂંડી રીતે મર્યો

Last Updated: 09:31 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના ડૂંગરપુરમાં બકરાનું કાળજું ગળામાં ફસાઈ જતાં શ્વાસ રુધાંઈ જતાં એક શખ્સનું તત્કાળ મોત થયું હતું.

રાજસ્થાનના ડૂંગરપુરમાં બકરાના કાળજાએ એક માણસને મરાવી નાખ્યો એવી હેરાનીભરી પરંતુ ચેતવણી આપતી ઘટના બની છે. બકરાનું કાળજું ખાવાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે અને શરીર સારુ રહે છે તેવું કોઈએ કહેતા આ શખ્સ બકરાનું કાળજું લઈ આવ્યો હતો અને ખાતાં તે ગળામાં ફસાઈ ગયું હતું અને તેનું દર્દનાક મોત થયું હતું.

કાચું કલેજું ખાધું હતું

યુવાને બકરાનું કાચું કલેજું ખાધુ હતું જે તેની ગળાની નળીમાં ફસાઈ ગયું હતું. હડમતીયા ગામના 40 વર્ષીય શખ્સ રૂપસી પરમાર ગામમાં માંસ વેચતો હતો. ગઈ કાલે રાત્રે તેણે એક બકરી કાપી હતી અને તેની કતલ કર્યા પછી, તેણે તેનું કાળજું કાચું ખાધું હતું. પરંતુ તે તેના ગળાની શ્વાસ લેતી નળીમાં ફસાઈ ગયું હતું અને બેભાન થઈને ઢળી પડ્યો હતો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં તેનું મોત થયું હતું. સવારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્વાસ રૂંધાવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. તેના ગળામાંથી માંસનો ટુકડો કાઢવામાં આવ્યો છે.

શરીર સારુ કરવા ખાધું બકરાનું કાળજું

યુવાને શરીર સારુ કરવા માટે બકરાનું કાળજું ખાધું હતું પરંતુ તેણે જ તેનો જીવ લઈ લીધો. બકરીના યકૃતનો ભાગ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં મોટા પ્રમાણમાં વિટામિન અને પ્રોટીન હોય છે. આ જ કારણ છે કે બકરીના શરીરમાં તેના લિવરનો ભાગ સૌથી મોંઘા ભાવે વેચાય છે.

વધુ વાંચો : બકરાએ મર્યા પછી લીધો બલિ ચઢાવનારનો બદલો, 'આંખો'થી આપ્યું ભયાનક મોત, હાર્ટ બેસી જશે જાણીને

બકરાની આંખે લીધો યુવાનનો જીવ

2023ની સાલમાં પણ આવી જ એક ઘટના બની હતી. છત્તીસગઢના સૂરજપુરમાં બકરાનું બલિદાન આપનાર વ્યક્તિએ માંસ રાંધ્યા બાદ બકરીની આંખ ખાવાનો પ્રયાસ કર્યો હતો. આંખ ગળામાં ફસાઈ જતા તે વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બગડ સાઈ નામના 50 વર્ષના વ્યક્તિએ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે બકરાની બલિ ચઢાવી હતી ત્યાર બાદ માંસના ટુકડા કરીને રાંધવામાં આવ્યાં હતા. બગડે બકરાનું બલિદાન આપ્યું હતું. તેથી તેને ખાવા માટે બકરીનું માથું આપવામાં આવ્યું. બગડે સીધું બકરીની આંખ પર નિશાન કર્યું અને તેને બહાર કાઢી અને તેને ગળી જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આંખ તેના ગળામાં ફસાઈ ગઈ. તે ન તો ગળી શકતો હતો કે ન તો બહાર કાઢી શક્યો અને તરફડીને તેનું મોત થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ