બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / NRI News / વિશ્વ / પ્રવાસ / આ દેશમાં જવા માટે ભારતીયોને વિઝાની જરૂર નહીં પડે, માત્ર કરવું પડશે આ કામ
Last Updated: 03:46 PM, 8 May 2024
પર્યટકોને મોટી સંખ્યામાં પોતાના દેશમાં આવવાનું પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકાએ પોતાની વીઝા પોલિસીને રિન્યૂ કરી છે. ભારત અને છ અન્ય સિલેક્ટેડ દેશોના નાગરિકોને વીઝા ફ્રી એક્સેસને રિન્યૂ કર્યું છે.
ADVERTISEMENT
તેનો ઉદ્ધેશ્ય ઈન્ટરનેશનલ પર્યટકો માટે યાત્રાને વધારે સુલભ અને સુવિધાજનક બનાવવાનું છે. આ પહેલમાં ભારત, ચીન, રશિયા, જાપાન, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા શામેલ છએ. આ દેશોના નાગરીકોને શ્રીલંકામાં 30 દિવસના વિઝા ફ્રી એક્સેસ મળશે.
ADVERTISEMENT
આર્થિક અને રાજનૈતિક સંકટ
શ્રીલંકાની સરકારનો નિર્ણય પર્યટન ઉદ્યોગના પુન:ર્નિમાણના પ્રયત્નોના ભાગ રૂપે આવ્યો છે. જેને કોરોના મહામારી અને દેશમાં ચાલી રહેલા આર્થિક અને રાજનૈતિક સંકટોના કારણે ગંભીર પડકારનો સામનો કરવો પડ્યો છે. પાયલેટ પ્રોજેક્ટના રૂપમાં વીઝા ફ્રી એક્સેસ યોજના પર્યટકોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી.
30 દિવસ સુધી રહેવાની પરવાનગી
જોકે વિઝા ફ્રી એક્સેસ સિલેક્ટેડ દેશોના વિઝિટરને શ્રીલંકામાં 30 દિવસ સુધી રહેવાની પરવાનગી આપે છે પરંતુ તેમને પોતાના આગમન પહેલા વેબસાઈટ www.srilankaevisa.lkના માધ્યમથી પોતાના વીઝા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી પ્રક્રિયા આવનાર પર્યટકો માટે સિક્યોરીટી ચેકિંગ બનાવી રાખતા સુચારૂ રીતે પ્રોસેસિંગ સુનિશ્ચિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.
અરાઈવલ વીઝા ફી
સિલેક્ટેડ દેશો માટે વીઝા ફ્રી એક્સેસ છતાં શ્રીલંકાની સરકારે એક મહિના માટે અરાઈવલ વીઝા પર પોતાના ટૂરિસ્ટો માટે 50 ડોલરનો ચાર્જ રાખ્યો છે. વીઝા જાહેર કરવાનું કામ એક પ્રાઈવેટ કંપનીને આપવામાં આવ્યું છે. કંપનીએ અરાઈવર વીઝા પર એન્ટ્રી ફીને 100 ડોલર કરી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT