જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ની નાબૂદી વખતે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે વખતે આવ્યે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપી દેવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીની ગુરુવારે જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે મુલાકાત
બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ અને જિતેન્દ્ર સિંહ હાજર રહેશે
કાશ્મીરી નેતાઓ શાહને આ વાયદો યાદ અપાવશે
હવે ચર્ચા ચાલી રહી છે કે કાશ્મીર નેતાઓ અમિત શાહને રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના તેમના વચનની યાદ અપાવશે.
સંસદમાં અમિત શાહે કયો વાયદો કર્યો હતો
ગૃહમંત્રી શાહે 13 ફેબ્રુઆરીના દિવસે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે યોગ્ય સમય આવ્યે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપી દેવામાં આવશે. લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનઃગઠન વિધેયક, 2021 ની ચર્ચાનો જવાબ આપતા શાહે કહ્યું હતું કે આ વિધેયકમાં એવું ક્યાંય પણ લખેલું નથી કે જમ્મુ કાશ્મીરને ક્યારેય પણ રાજ્યનો દરજ્જો નહીં મળે. તેમણે કહ્યું હતું કે હું ફરી વાર કહું છું કે જમ્મુ કાશ્મીર રાજ્યના દરજ્જા સાથે આ ખરડાને કોઈ લેવાદેવા નથી.
16 નેતાઓે આમંત્રણ આપ્યું
સર્વપક્ષીય બેટક માટે કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ કાશ્મીરના કુલ 16 નેતાઓને આમંત્રણ મોકલાયું છે. કલમ 370 ની નાબૂદી બાદ કેન્દ્ર દ્વારા રાજ્યના નેતાઓ દ્વારા સંવાદ સાધવાની આ મોટી પહેલ છે.