લોકડાઉનના કારણે લોકો ઘરમાં કેદ છે. આવા સંજોગોમા તેમનામાં ઉદાસી, એકલતા કે તણાવના લક્ષણો જોવા મળી શકે છે. તેનાથી બચવા સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કહ્યુ છે કે કોઇ એવુ કામ ન કરો જેનાથી સમસ્યા વધે જેમકે તંબાકુ, આલ્કોહોલ કે કોઇ બીજો નશો ન કરો. તેનાથી ઇમ્યુનિટી ઘટે છે. એવા કેટલાક ઉપાયો છે જેનાથી તમે તણાવ અને ઉદાસી દુર કરી શકો છો અને સ્વસ્થ પણ રહી શકો છો.
લોકડાઉનમાં ઘરમાં કેદ લોકો આ રીતે રાખો ધ્યાન
માનસિક રીતે સ્વસ્થ રહેવું છે જરૂરી
તણાવ અને ઉદાસીથી બચવા કરો આ કામ
દિનચર્યા જાળવી રાખો
તણાવમુક્ત રહેવા માટે દિનચર્યા જાળવી રાખો. કેટલાક લોકોને એવી આદત હોય છે કે કાલે ક્યાંય જવાનુ નથી તો મોડા સુઇએ અને મોડા ઉઠીએ. તેનાથી શરીરની બાયોલોજિકલ ક્લોક બગડે છે. હોર્મોનલ બેલેન્સ બગડવાથી તણાવ અને બીજી બીમારીઓ થઇ શકે છે.
યોગ- વ્યાયામ અને ધ્યાન
બહાર જવાનુ શક્ય નથી તો ઘરમાં જ રોજ 40-50 મિનિટ યોગ-ધ્યાન કે વ્યાયામ માટે જરુરી સમય કાઢો. ધ્યાન રાખો કે અત્યારે વધુ હેવી વર્ક આઉટની જરુર નથી. હલકા ફુલકા યોગ- વ્યાયામથી પણ તન અને મન સ્વસ્થ રહે છે.
સમય પર નાસ્તો અને ખાવાનું ખાઓ
ઘણા સંશોધનોમાં સ્પષ્ટ થઇ ચુક્યુ છે કે સમય પર નાશ્તો અને જમવાથી પોષકતત્વો શરીરને સારી રીતે લાગે છે. સવારે આઠ વાગે નાશ્તા બાદ, બપોરો 12થી 1ની વચ્ચે લંચ લો. ડિનર સાંજે આઠ વાગ્યા પહેલા લઇ લો. તળેલુ કે હેવી ખાવાથી બચો. આ કારણે પાચન યોગ્ય રહેશે
ખુલીને હસો
ખુલીને હસો અને પરિવારના બીજા સભ્યોને પણ હસાવો. બોરિયતની સાથે તણાવ પણ દુર થશે. તેનાથી મગજમાં એન્ડોમોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે. તે ઘણી બિમારીઓથી બચાવે છે. ફેમિલિ મેમ્બર્સ સાથે બેસો, ગેમ રમો અને ખુશહાલ રહો.
વધુ ન વિચારો
વધુ વિચારવાથી મગજ પર અસર થાય છે. મગજમાં પરેશાની વધે છે. ચિંતા હોય તો એકલા બેસવાની જગ્યાએ ફેમિલિ મેમ્બર સાથે બેસીને વાત કરો. કિચનમાં જઇને કંઇક બનાવી શકો છો. તેનાથી તન મન બંને સ્વસ્થ રહેશે.