સુપ્રીમ કોર્ટે આરકૉમને 453 કરોડ જમા કરાવવા માટે 19 માર્ચ સુધીનો સમય આપ્યો છે અને જો તેઓ જમા નહીં કરાવે તો અનિલ અંબાણીને 3 મહીનાની જેલ પણ થઇ શકે છે. ત્યારે એરિક્સનને પૈસા ચૂકવવા માટે અનિલ અંબાણીએ રિલાયન્સ નિપ્પન લાઇફ અસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સમાં ભાગેદારી વેચવાનો નિર્ણય કર્યો છે.
કંપની પૈસા એકઠા કરવા માટે મુખ્ય વેપારથી અલગ પણ અન્ય કેટલીક સંપત્તિઓનું વેચાણ કરી રહી છે. રિલાયન્સે કહ્યું કે, મુખ્ય વેપારથી અલગ કેટલીક સંપત્તિઓ અને રિલાયન્સ નિપ્પનમાં 43 ટકા અને રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સમાં 49 ટકા ભાગેદારી વેચી કુલ દેવામાં 50-60 ટકાનો ઘટાડો આવશે.
જો કે હવે BSNL રિલાયન્સ કોમ્યૂનિકેસન્સ પાસેથી 700 કરોડ વસૂલવા માટે હવે રાષ્ટ્રીય કંપની વિધિ ન્યાયાધિકરણ NCLATનો દરવાજો ખખડાવશે. મળતી માહિતી મૂજબ છેલ્લા કેટલાય સમયથી દેવામાં ડૂબેલી આરકોમએ NCLAT સમક્ષ પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેઓ ખુદ નાદારી પ્રક્રિયામાં જવા માગે છે કારણ કે, તેનાથી તેમની સંપત્તિને સમયબદ્ધ રીતે વેચવામાં મદદ થશે.
અંદાજે 700 કરોડ રૂપિયાની વસૂલી માટે આરકૉમ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય BSNLના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક અનુપમ શ્રીવાસ્તવએ ચાર જાન્યુઆરીએ લીધો હતો. BSNLએ આ મામલા માટે સિંહ એન્ડ કોહલી લૉ ફર્મને જોડી છે. તમામ સર્કલ કાર્યાલયો દ્વારા ચલણ જમા કરવાના કારણે મામલો દાખલ થવામાં સમય લાગ્ય છે ત્યારે હવે રિલાયન્સની મુશ્કેલી સતત વધી રહી છે.