પ્રીપેડ મોબાઈલને પોસ્ટપેડમાં બદલવું હવે સરળ થઈ જવાનું થે. મોબાઈલ ગ્રાહકોને હવે પ્રીપેડ સિમ કાર્ડને પોસ્ટપેડમાં બદલવા માટે ફરી વેરિફિકેશન નહીં કરવું પડે. તેના માટે હવે માત્ર એક ઓટીપીથી કામ થઈ જશે. એવું કહેવાય રહ્યું છે કે, હવે એક ઓટીપીથી જ ગ્રાહકોનું પોસ્ટપેડ કનેક્શન શરૂ થઈ જશે.
બદલાવાનો છે મોબાઈલ સિમ કનેક્શનને લઈને આ નિયમ
હવે એક ઓટીપીથી જ ગ્રાહકોનું પોસ્ટપેડ કનેક્શન શરૂ થઈ જશે
પ્રીપેડ સિમ કાર્ડને પોસ્ટપેડમાં બદલવા માટે ફરી વેરિફિકેશન નહીં કરવું પડે
દૂરસંચાર વિભાગ ટૂંક સમયમાં આ માટે ગાઈડલાઈન બહાર પાડી શકે છે. પોસ્ટપેડમાં રૂપાંતરિત કરવા માટે ગ્રાહકોએ ફરીથી અરજી ફોર્મ ભરવું નહીં પડે. એટલે કે, ગ્રાહકોએ રી-વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે અને ગ્રાહકના મોબાઈલ પર માત્ર ઓટીપી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. આ સિવાય ગ્રાહકો બિલિંગ માટે કંપનીની વેબસાઇટ પર પોતાનું એડ્રેસ પ્રૂફ અપલોડ કરી શકે છે.
દૂરસંચાર વિભાગે ગ્રાહક વેરિફિકેશનની નવી ગાઈડલાઈન્સ તૈયાર કરી છે અને એક કે બે સપ્તાહમાં તેને જારી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, દેશમાં 90 કરોડથી વધુ પ્રીપેડ મોબાઈલ સબસ્ક્રાઈબર્સ છે. આ ફેરફારથી જમ્મૂ-કશ્મીર જનારા ગ્રાહકોને પણ ફાયદો થશે, કારણ કે જમ્મૂ-કશ્મીરમાં અન્ય કોઈ રાજ્યનું પ્રીપેડ સિમ કામ કરતું નથી.