ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ લેવામાં આવેલી એન્જિનિયરિંગ ડિગ્રી નિયમિત વર્ગ દ્વારા લેવામાં આવેલી એન્જિનિયરિંગ ડિગ્રીની સમકક્ષ ન હોઈ શકે છે.
જે વિદ્યાર્થીઓ ફિઝિકલી રીતે ક્લાસમાં આવ્યા નથી તેમને એન્જિનિયર ના કહી શકાય - HC
હાઈકોર્ટે અવલોકન કર્યુ કે, જે વિદ્યાર્થી પ્રેક્ટિકલ તાલીમ આપાઈ તેને સ્વીકારવું મુશ્કેલ
ડિસ્ટન્સ લર્નિંગથી મેળવેલી ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રીની સમકક્ષ ન હોઈ શકે છે
હાઈકોર્ટે કહ્યું કે, જે છાત્રા અભ્યાસક્રમમાં ભાગ લેતી નથી, ફિઝિકલી રીતે વર્ગમાં નથી આવતો, જેને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી નથી, તેને એન્જિનિયર કહી શકાય નહીં.
હાઈકોર્ટે કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ ફિઝિકલી કલાસીસ નથી ભર્યા તેઓને એન્જિનિયર ના કહી શકાય
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ ફિઝિકલી રીતે ક્લાસમાં આવ્યા નથી તેમને એન્જિનિયર કહી શકાય નહીં. કોર્ટે હરિયાણા પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના આદેશ પર સ્ટે મૂક્યો છે, જેમાં ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ કરનારાઓને એક્ઝિક્યુટિવ એન્જિનિયરના પદ પર બઢતી આપવામાં આવી હતી. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે વ્યક્તિ અભ્યાસક્રમમાં ભાગ લેતી નથી, ફિઝિકલી રીતે વર્ગમાં નથી આવતો, જેને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી નથી, તેને એન્જિનિયર કહી શકાય નહીં.
હાઈકોર્ટની કડક ટિપ્પણી
જસ્ટિસ અનુપિન્દર સિંહ ગ્રેવાલની બેન્ચે અવલોકન કર્યું હતું કે એ સ્વીકારવું મુશ્કેલ છે કે ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ લેવામાં આવેલી એન્જિનિયરિંગ ડિગ્રી નિયમિત વર્ગ દ્વારા લેવામાં આવેલી એન્જિનિયરિંગ ડિગ્રીની સમકક્ષ ન હોઈ શકે છે. એન્જિનિયરિંગની ડિગ્રીમાં થિયરી પ્રોગ્રામ ખૂબ જ મુશ્કેલ છે, ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેઓ વર્ગમાં શારીરિક રીતે હાજરી આપતા નથી તેઓ પણ પ્રેક્ટિકલથી વંચિત રહે છે. તો તેને એન્જિનિયર કેવી રીતે કહી શકાય? જો આપણે આ જ રીતે એન્જિનિયરિંગમાં ડિસ્ટન્સ લર્નિંગની ડિગ્રી સ્વીકારવાનું ચાલુ રાખીએ તો એ દિવસ દૂર નથી. જ્યારે MBBSની ડિગ્રી પણ ડિસ્ટન્સ લર્નિંગ હેઠળ ઉપલબ્ધ થશે. જેના ઘાતક પરિણામો આવશે.
કોર્ટે આ અરજી પર સુનાવણી હાથ ધરી હતી
કોર્ટે કહ્યું કે એ વિચારવું પણ ડરાવનારું છે કે ડિસ્ટન્સ લર્નિંગ હેઠળ MBBSની ડિગ્રી લેનારાઓ બીમાર લોકોની સારવાર કરશે. એન્જિનિયરિંગનું કાર્ય દેશના માળખાકીય વિકાસ માટેનો આધાર છે. આવી બેદરકારી માત્ર સામાન્ય લોકોના જીવનને જોખમમાં મુકવા સમાન નથી, પરંતુ તેનાથી આવકનું પણ મોટું નુકસાન થશે.બેન્ચે એક કેસની સુનાવણી કરી રહી હતી જેમાં અરજદાર નરેશ કુમાર અને અન્યોએ વિનોદ રાવલને એક્ઝિક્યુટિવ એન્જિનિયરના પદ પર બઢતી આપતા 18 નવેમ્બર, 2019ના આદેશને રદ કરવાની માંગ કરી હતી.