હૈદરાબાદના સાંસદ અસાદુદ્દીન ઓવૈસીએ યુપી મુખ્યમંત્રી યોગીના નિવેદન પર પલટવાર કરતા કટાક્ષમાં કહ્યું કે દેશમાં મુસલમાન સૌથી વધારે ગર્ભનિરોધક વાપરે છે.
યુપીના સીએમ યોગીને જવાબ આપ્યો અસાદુદ્દીન ઓવૈસીએ
ઓવૈસીએ કહ્યં-મુસલમાન સૌથી વધારે વાપરે છે ગર્ભનિરોધક સાધનો
યોગી આદિત્યનાથે આપ્યું હતું વધતી જતી વસતી પર નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે વિશ્વ જનસંખ્યા દિવસના અવસર પર વધતી જનસંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યુ હતુ કે એક જ વર્ગની જનસંખ્યા વધવાથી અરાજકતા પેદા થશે. વસ્તી અસંતુલન ન હોવું જોઈએ. સીએમના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો છે.
Hyderabad | Are Muslims not natives of India? If we see the reality, natives are only tribals & Dravidian people. In UP, without any law, desired fertility rate would be achieved by 2026-2030: AIMIM chief Asaduddin Owaisi on UP CM Yogi Adityanath's statement pic.twitter.com/hSjB7WAyuK
શું મુસ્લિમો ભારતના વતની નથી- ઓવૈસી
યુપીના સીએમના નિવેદન પર પલટવાર કરતા ઓવૈસીએ કહ્યું કે મુસલમાનો સૌથી વધારે ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરે છે. ઓવૈસીએ કહ્યું કે શું મુસ્લિમો ભારતના વતની નથી? જો આપણે વાસ્તવિકતા પર નજર કરીએ, તો મૂળ વતનીઓ ફક્ત આદિવાસી અને દ્રવિડિયન લોકો છે. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ કાયદા વિના વર્ષ 2026થી 2030 સુધી ઉત્તરપ્રદેશમાં ઇચ્છિત પ્રજનન દર હાંસલ કરવામાં આવશે. ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના જ આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે, વસ્તી નિયંત્રણ માટે દેશમાં કોઈ કાયદાની જરૂર નથી. મોટાભાગના ગર્ભનિરોધકોનો ઉપયોગ મુસ્લિમો દ્વારા કરવામાં આવે છે.
Their own health minister said that no law is needed in the country for population control. It's Muslims who're using most contraceptives. Total fertility rate which was 2.6 in 2016 is now 2.3. Country's demographic dividend is best among all countries: Asaduddin Owaisi, AIMIM pic.twitter.com/Y3qBedXTBG
શું કહ્યું હતું સીએમ યોગીએ
સીએમ યોગી આદિત્યનાથે સોમવારે લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં વધતી જનસંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યુ હતુ કે જ્યારે વાત પરિવાર નિયોજન, જનસંખ્યા સ્થિરીકરણની આવે છે તો આપણે એ પણ ધ્યાન રાખવુ પડશે કે જનસંખ્યા નિયંત્રણના પ્રયત્નો સફળ થવા જોઈએ, પરંતુ જનસંખ્યાગત અસંતુલનની સ્થિતિ ક્યાંય પણ નથી. એવું ન થાય કે કોઈ એક વર્ગની વસ્તી વધારાની ઝડપ ઊંચી હોય અને જેઓ મૂળ નિવાસી હોય તેઓ અમલબજવણી અને જાગૃતિના પ્રયત્નો સાથે, વસ્તી સ્થિરતા માટેના પ્રયત્નો દ્વારા નિયંત્રિત થાય.