100થી 200 ભારતીયોને લઈ જઈ રહેલી એક બોટ મધદરિયે લાપતા થતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ છે. ભારતીય પોલીસનું કહેવું છે કે આ બોટ ન્યૂઝિલેન્ડ જઈ રહી હોવાની આશંકા છે. તો પોલીસને પણ આ ભારતીયોના માલ સામાનની 70થી વધુ બેગ પણ મળી આવી છે.
આ ભારતીયોમાં મોટા ભાગના લોકો ન્યૂ દિલ્લી અને તમિલનાડુના હતા. જેઓ તમામ ફિશિંગ બોટમાં સવાર હતા. પ્રાપ્ત વિગતો મુજબ આ તમામ લોકો શરણાર્થીઓ હતા. આ બોટ 12 જાન્યુઆરીના રોજ કેરળથી મુનામબામ હાર્બરથી નીકળી હતી.
જેમાં બે અધિકારીઓ પણ સામેલ છે. આ મામલે ન્યૂ દિલ્લીમાંથી એક શખ્સની પણ ધરપરકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શખ્સનું નામ પ્રભુ ધાંડાપાની છે. પ્રાપ્ત વિગતો મુજબ આ બોટમાં 100થી 200 લોકો સવાર હતા.
જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ છે. આ સિવાય પોલીસને 20 લોકોના ઓળખપત્ર પણ મળી આવ્યા છે. ત્યારે તમામ લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપેરશન પણ હાથ ધરવામાં આવ્યું છે. જે પ્રમાણે બેગ મળી આવી છે તે જોતા લાગે છે કે મુસાફરો લાંબી મુસાફરી કરી રહ્યા હતા.
ન્યૂઝિલેન્ડ જવા માટે શરણાર્થીઓને 7 હજાર માઈલની સમુદ્રી યાત્રા કરવી પડે છે. જે વિશ્વની સૌથી મુશ્કેલ સમુદ્રી યાત્રા હોવાનુ પણ માનવામાં આવે છે. કારણકે અહીં સાયક્લોન તોફાન અને વરસાદનો હંમેશા ભય રહે છે.