ઘરમાં મોરપીંછ રાખવાથી અનેક વાસ્તુ દોષ દૂર થાય છે પણ મોરપીંછને ઘરમાં રાખવા સંબંધિત કેટલાક ખાસ નિયમોને ધ્યાનમાં રાખવાની જરૂરી છે.
ઘરમાં મોરપીંછ રાખવાથી અનેક વાસ્તુ દોષ દૂર થાય
મોરપીંછને ઘરમાં રાખવા સંબંધિત કેટલાક ખાસ નિયમોને ધ્યાનમાં રાખવા જરૂરી
શાસ્ત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ ધારણ કરતાં બતાવવામાં આવ્યા છે. એ સિવાય હિદનું ધર્મ અનુસાર માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ઇન્દ્રદેવ અને ભગવાન કાર્તિકેયને પણ મોરપીછું ખૂબ પ્રિય છે એવું દર્શાવવામાં આવ્યું છે. મોરપંખ બસ ઘરની શોભા નથી વધારતું પણ શાસ્ત્રમાં તેનું બીજું ઘણું મહત્વ પણ બતાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ સાથે સંકળાયેલ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મોરપીંછ રાખવાથી અનેક વાસ્તુ દોષ દૂર થાય છે પણ મોરપીંછને ઘરમાં રાખવા સંબંધિત કેટલાક ખાસ નિયમોને ધ્યાનમાં રાખવાની જરૂરી છે.
મોરપીંછ લગાવવાની સાચી દિશા
ઘરમાં મોરપીંછ લાવતા પહેલા તેને રાખવાના નિયમો જરૂરથી જાણી જેવા જોઈએ. જો તમારા કામ બનતા બનતા અટકી પડતાં હોય તો ઘરના અગ્નિકોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં મોરપંખ લગાવો. આ મોરપીંછને ક્યારેય પણ ખરીદવાને બદલે ખાસ મોકા પર જ ખરીદો.
કુંડળીમાં રાહુ દોષ
જે લોકોની કુંડળીમાં રાહુનો દોષ હોય, તેમના માટે મોરપીંછ પોતાની આસપાસ રાખવું શુભ માનવામાં આવે છે. મોરપંખ અનેક પ્રકારની નકારાત્મક ઉર્જાનો ફેલાવો ઓછો કરે છે અને તેને ઘરમાં રાખવાથી ગ્રહ દોષથી મુક્તિ મળે છે.
લૉકરમાં રાખો મોરપીંછ
મોરપીંછ લોકરમાં રાખવાથી ધનમાં વધારો થાય છે. આ સાથે જ આર્થિક સંકટની સમસ્યાથી પણ છુટકારો મળે છે.