સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં એવી કેટલીય શાળાઓ છે જે મરમ્મત માંગે છે. પરંતુ ઉદાસીન વૃત્તિના સંચાલકો ધરાહાર સમારકામ ઉચિત સમયે નાં કરાવતા હોવાના કારણે શાળાએ જતા બાળકો માથે આફત આવી પડે છે. આવી જ એક ઘટનામાં અમરેલી જીલ્લાના રાજૂલાની કન્યા શાળામાં ઘટી છે. લગભગ 60 વર્ષ જુના બાંધકામની શાળામાં વર્ગ ખંડમાં ચાલુ કલાસે મસમોટા પોપડા પડતા બે બાળકીઓ ઈજાગ્રસ્ત થઇ હતી.
ચાલુ વર્ગમાં ઘટી ઘટના
ગુજરાતના અમરેલી પંથકના રાજુલા કન્યાશાળા નંબર 1ના વર્ગખંડની છત પડતા અફરા-તફરી મચી ગઈ હતી. ચાલુ વર્ગખંડમાં વિદ્યાર્થિની પર છત પડતા 2 વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજા પહોચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.
સદનસીબે ટળી મોટી દુર્ઘટના
રાજૂલાની કન્યા શાળાનું કહેવાય છે કે, 60 વર્ષ જૂનું બાંધકામ છે. શાળાની અંદરથી જ જર્જરિત અવસ્થાના કારણે જૂના સ્લેબમાંથી ગાબડા પડતા વિદ્યાર્થિનીઓને ઈજા પહોચી હતી. સવાલ એ થાય છે કે જર્જરિત શાળા ક્યાં સુધી વિદ્યાર્થીઓ માટે જોખમી બનતી રહેશે? કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદારી કોણે લીધી હોત ?