બ્રેકિંગ ન્યુઝ
VTV / Find out the real reason why veterans like Ravi Shankar, Javadekar and Harshvardhan were cut off from Modi government
Hiralal
Last Updated: 08:17 PM, 8 July 2021
ADVERTISEMENT
ટ્વિટર વિવાદને કારણે રવિશંકર પ્રસાદનું પત્તુ કપાયું
ટ્વિટરનો વિવાદ શરુઆતથી સારી રીતે હેન્ડલ ન કર્યો હોવાથી તથા તેને કારણે સરકાર અને પીએમ પર સવાલ ઉઠ્યાં આ કારણે રવિશંકર પ્રસાદની કેન્દ્રીય કેબિનેટમાંથી હકાલપટ્ટી થઈ હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ કારણે જાવડેકરનું રાજીનામું લઈ લેવાયું
માહિતી અને પ્રસારણ મંત્રીનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. સરકારના પ્રવક્તા હોવાને નાતે જાવડેકરે અને તેમના મંત્રાલયની જવાબદારી હતી કે તેઓ કોરોના કાળમાં સરકારની ઈમેજને સારી બનાવવા પગલાં ભરે પરંતુ તેમનું મંત્રાલય આ કામ ન કરી શક્યું. તે ઉપરાંત દેશી મીડિયાની સાથે વિદેશી મીડિયામાં પણ સરકારની ઘણી ટીકા થઈ અને સીધી પીએમની ઈમેજ પર અસર પડી. મોટી ઉંમરને કારણે જાવડેકરને હટાવાયા હોવાનું પણ જણાવાય છે.
કોવિડ મિસમેનેજમેન્ટને કારણે હર્ષવર્ધનને હટાવાયા
કોરોનાની બીજી લહેરમાં હર્ષવર્ધનના સ્વાસ્થ્ય મંત્રાલયની જે પ્રકારનો ગેરવહિવટ દેખાણો તે જોતા તો મોદી સરકારે તેમનું રાજીનામું લઈ લીધું હોય તેવું લાગી રહ્યો છે.
બાબુલ સુપ્રિયોને બંગાળમાં ભાજપની હારની સજા મળી
બંગાળમાં ભાજપની હારની સજા બાબુલ સુપ્રિયોને થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મંત્રી હોવા છતાં પણ બાબુલ સુપ્રિયો વિધાનસભાની સીટ પણ જીતી ન શક્યા. તેમના કેટલાક નિવેદનોથી પણ ભાજપની આબરુ ધૂળમાં મળી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.