મોદી સરકારે રવિશંકર, જાવડેકર અને હર્ષવર્ધન સહિત 12 મંત્રીઓનું પત્તુ કાપ્યું છે. મંત્રીમંડળમાં આ મંત્રીઓને જાળવી રાખવાના ઘણા કારણો છે.
રવિશંકર, જાવડેકર અને હર્ષવર્ધન સહિત 12 મંત્રીઓનું પત્તુ કપાયું
ટ્વિટર વિવાદને કારણે રવિશંકરનું ખાતુ છીનવાયું હોવાની ચર્ચા
પ્રકાશ જાવડકેરે સરકારની બગડેલી છાપ સુધારવા કંઈ ન કર્યું હોવાની અટકળ
કોવિડ મિસમેનેજમેન્ટને કારણે હર્ષવર્ધનને હટાવાયા હોવાનું લાગી રહ્યું છે.
ટ્વિટર વિવાદને કારણે રવિશંકર પ્રસાદનું પત્તુ કપાયું
ટ્વિટરનો વિવાદ શરુઆતથી સારી રીતે હેન્ડલ ન કર્યો હોવાથી તથા તેને કારણે સરકાર અને પીએમ પર સવાલ ઉઠ્યાં આ કારણે રવિશંકર પ્રસાદની કેન્દ્રીય કેબિનેટમાંથી હકાલપટ્ટી થઈ હોવાનું માનવામાં આવે છે.
આ કારણે જાવડેકરનું રાજીનામું લઈ લેવાયું
માહિતી અને પ્રસારણ મંત્રીનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. સરકારના પ્રવક્તા હોવાને નાતે જાવડેકરે અને તેમના મંત્રાલયની જવાબદારી હતી કે તેઓ કોરોના કાળમાં સરકારની ઈમેજને સારી બનાવવા પગલાં ભરે પરંતુ તેમનું મંત્રાલય આ કામ ન કરી શક્યું. તે ઉપરાંત દેશી મીડિયાની સાથે વિદેશી મીડિયામાં પણ સરકારની ઘણી ટીકા થઈ અને સીધી પીએમની ઈમેજ પર અસર પડી. મોટી ઉંમરને કારણે જાવડેકરને હટાવાયા હોવાનું પણ જણાવાય છે.
કોવિડ મિસમેનેજમેન્ટને કારણે હર્ષવર્ધનને હટાવાયા
કોરોનાની બીજી લહેરમાં હર્ષવર્ધનના સ્વાસ્થ્ય મંત્રાલયની જે પ્રકારનો ગેરવહિવટ દેખાણો તે જોતા તો મોદી સરકારે તેમનું રાજીનામું લઈ લીધું હોય તેવું લાગી રહ્યો છે.
બાબુલ સુપ્રિયોને બંગાળમાં ભાજપની હારની સજા મળી
બંગાળમાં ભાજપની હારની સજા બાબુલ સુપ્રિયોને થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મંત્રી હોવા છતાં પણ બાબુલ સુપ્રિયો વિધાનસભાની સીટ પણ જીતી ન શક્યા. તેમના કેટલાક નિવેદનોથી પણ ભાજપની આબરુ ધૂળમાં મળી.