હમણાં બે IAS અધિકારીઓને CMO તરફથી ઠપકો ખાવો પડ્યો છે તેવી વાત વહેતી થઈ છે. આ બે અધિકારીઓ માં એક ઇન્ડસ્ટ્રી કમિશનર રાહુલ ગુપ્તા અને બીજા સુરત મહાનગરપાલિકા કમિશનર બચ્ચાનિધી પાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે એવી પણ ચર્ચા રાજકિય વર્તુળોમાં છે કે, ભાજપના વરિષ્ઠ નેતાઓની રહેમ નજરને કારણે જ આ બે અધિકારી બેલગામ વર્તી રહ્યા છે.
"રાજકોટ કનેક્શન"ની શરમ રાખીને તેમને બીજો ચાન્સ આપશે!
ઇન્ડસ્ટ્રી કમિશનર રાહુલ ગુપ્તા અને સુરત મહાનગરપાલિકા કમિશનર બચ્ચાનિધી પાની બંને અધિકારીઓ આ પહેલા રાજકોટ શહેરમાં અનુક્રમે કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરની પોસ્ટ ઉપર ફરજ બજાવતા હતા. આ બંને અધિકારીઓને CM સાહેબ અને તેમના પરિવાર સાથે નિકટ સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. આ સંબંધોને કારણે જ તેમને આવી અગત્યની જગ્યાએ પોસ્ટિંગ મળ્યું છે તેવું કહેવાય છે.
રાહુલ ગુપ્તાની અણછાજતી પ્રવૃત્તિની છે ચર્ચા
CMOના સુત્રો તરફથી મળેલ જાણકારી અનુસાર રાહુલ ગુપ્તાને તેમના વિરુદ્ધમાં મળેલી અનેક ફરિયાદો બદલ CMO તરફથી ઠપકો સાંભળવો પડ્યો છે અને તેમને તેમની કામકાજની રીત સુધારવાની તાકીદ કરવામાં આવી છે. રાહુલ ગુપ્તાની અણછાજતી પ્રવૃત્તિને કારણે આખા રાજ્યમાં ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ થઇ રહ્યું છે તેમ કહેવાય છે.
તે જ રીતે શહેરના ડાયમંડ સીટી સુરતમાં નબળા પ્રદર્શન અને વહીવટની તેમની રીત બદલ સુરત મહાનગરપાલિકા કમિશનર બચ્ચાનિધી પાનીએ પણ CMO તરફથી વઢ ખાવી પડી તેવા સમાચાર છે. એવું માનવામાં આવે છે કે સુરતના ભાજપના વરિષ્ઠ કાર્યકરો પાની સાહેબની ફરિયાદ લઇને CMO પહોંચ્યા હતા.
"રાજકોટ કનેક્શન"ની શરમ રાખીને તેમને બીજો ચાન્સ આપશે!
આગળ વાત કરી તેમ રાજ્યના બ્યુરોક્રેકેટિક સિનિયર અધિકારીઓની બદલીઓ હવે નજીકમાં જણાઈ રહી છે. હવે જોવાનું એ છે કે આ ફરિયાદોના પગલે શું સરકાર આ બંને અધિકારીઓને તેમના પદેથી બદલી નાખશે કે પછી તેમના "રાજકોટ કનેક્શન"ની શરમ રાખીને તેમને બીજો ચાન્સ આપશે!