ગુજરાત રાજ્યનાં નવનિયુક્ત મુખ્યમંત્રી આવતીકાલે દિલ્હીના પ્રવાસે જવાના છે.
મુખ્યમંત્રી આવતીકાલે જશે દિલ્લી
પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે કરશે મુલાકાત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ કરશે મુલાકાત
મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત
આવતીકાલે દિલ્હી રવાના થશે CM પટેલ
ગુજરાતમાં મોટી ઉથલપાથલ બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જવાના છે. સીએમ બન્યા બાદ પહેલીવાર તેઓ દિલ્હી જઈ રહ્યા છે, જ્યાં તેઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક પણ કરવાના છે. આ સાથે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળવા જવાના છે.
પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે કરશે બેઠક
આવતીકાલે દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં આગામી સમયમાં કયા કામો કરવામાં આવે અને ચૂંટણીને લઈને પણ તેઓ કોઈ ચર્ચા કરી શકે તેવી શક્યતા છે. નોંધનીય છે કે કોઇ પણ રાજ્યમાં નવા મુખ્યમંત્રીની વરણી બાદ દેશનાં વડાપ્રધાન સાથે બેઠક કરવાની પરંપરા રહી છે જે હેઠળ તેઓ શુભેચ્છા મુલાકાત માટે દિલ્હી જઈ રહ્યા છે.
આજે આનંદીબેન સાથે કરી હતી મુલાકાત
નોંધનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે જ રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. આનંદીબેન પોતાના અંગત કારણોસર બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે આજે સવારે ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ આનંદીબેનની ખૂબ જ નજીકનાં નેતા ગણવામાં આવે છે, જ્યારે સીએમ તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી તે સમયે પણ ભૂપેન્દ્ર પટેલે આનંદીબેનને યાદ કર્યા હતા. આ સિવાય હાલ પણ તેઓ જે ઘાટલોડિયા સીટથી ધારાસભ્ય છે તે સીટ પણ આનંદીબેન પટેલની જ હતી.