બિહાર ચૂંટણીના પરિણામ સામે આવી ચૂક્યા છે. જનતાએ ફરી એકવાર નીતિશ કુમારના નેતૃત્વ વાળી એનડીએ ગઠબંધનને આવનારા 5 વર્ષો માટે સત્તા સોંપી છે. ત્યારે રાજદ નીત મહાગઠબંધન પણ 110 સીટો પર મજબૂતી સાથે ઉભર્યુ છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે નીતિશ કુમારને સંઘ અને ભાજપનો સાથ છોડવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે દેશને બર્બાદ થવાથી બચાવવા માટે નીતિશ કુમારે ભાજપનો અને સંઘનો સાથ છોડી તેજસ્વીનો સાથ આપવો જોઈએ.
નીતિશ જી, બિહાર તમારા માટે નાનું છે- દિગ્વિજય સિંહ
ભાજપ -સંઘને ગણાવ્યું અમર વેલ
દિગ્વિજય સિંહે કહ્યું કે ભાજપ / સંઘ અમર વેલ સમાન છે. જે વૃક્ષ પર લપેટાઈ જાય છે તે વૃક્ષ સુકાી જાય છે અને તે ઉછરી જાય છે. નીતિશ જી, લાલુ જીએ તમારી સાથે સંઘર્ષ કર્યો છે. આંદોલનમાં જેલમાં ગયા છે. ભાજપ અને સંઘની વિચારધારા છોડીને તેજસ્વીને આર્શીવાદ આપી દો. આ અમર વેલ રુરી ભાજપ અને સંઘને બિહારમાં ન ઉછરવા દો.
દિગ્વિજયે નીતિશને બિહાર છોડીને ભારતીય રાજનીતિમાં આવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે નીતિશ જી, બિહાર તમારા માટે નાનું છે. તમે ભારતની રાજનીતિમાં આવી જાવ. તમામ સમાજવાદી ધર્મનિરપેક્ષ વિચારધારામાં વિશ્વાસ ધરાવનારા લોકોને એક મત કરવામાં મદદ કરતા સંઘની અંગ્રેજો દ્વારા અપનાવવામાં આવેલી ભાગલા પાડો અને રાજ કરોની નીતિને ન ઉછરવા દો. વિચાર જરુર કરજો.
भाजपा/संघ अमरबेल के समान हैं, जिस पेड़ पर लिपट जाती है वह पेड़ सूख जाता है और वह पनप जाती है।
नितीश जी, लालू जी ने आपके साथ संघर्ष किया है आंदोलनों मे जेल गए है भाजपा/संघ की विचारधारा को छोड़ कर तेजस्वी को आशीर्वाद दे दीजिए। इस “अमरबेल” रूपी भाजपा/संघ को बिहार में मत पनपाओ।
કોંગ્રેસ સાંસદે બિહારમાં મુખ્યમંત્રીને દેશને બરબાદ થવાથી બચાવવાની અપીલ કરતા કહ્યું કે આ જ મહાત્મા ગાંધીજી તથા જયપ્રકાશ નારાયણ જી પ્રત્યે યોગ્ય શ્રદ્ધાંજલી રહેશે. તમે આજ વિરાસતમાંથી નિકળેલા રાજનેતા છો ત્યાં જ આવી જાવ. તમને યાદ અપાવવા ઈચ્છીશ કે જનતા પાર્ટી સંઘની ડૂઅલ મેંમ્બરશિપના આધાર પુર ટૂટી હતી. ભાજપ અને સંઘને છોડો દેશને બર્બાદીથી બચાવો.
ભાજપે પાસવાનની વિરાસત ખતમ કરી નાંખી
એટલું જ નહીં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સિંહે ભાજપ પર રામવિલાસ પાસવાનની વિરાસતને ખતમ કરી નાંખી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે પોતાની કુટનીતિથી નીતિશનું કદ નાનું કરી દીધું તથા રામવિલાસ પાસવાનજીની વિરાસતને સમાપ્ત કરી નાંખી છે. સન 67થી લઈને આજ સુધી જનસંઘ અને ભાજપે દરેક ગઠબંધન સરકારોમાં પોતાના પગલા ભર્યા છે અને તમામ સમાજવાદી ધર્મનિરપેક્ષ વિચારધારા વાળા રાજનૈતિક સંગઠનોને નબળા બનાવ્યા છે.