ઉત્તર પ્રદેશમાં એકવાર ફરી ઝેરી દારૂનો કહેર જોવા મળ્યો છે. બારાબંકીમાં ઝેરી દારૂ પીવાથી 12 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 15 લોકોની હાલ ગંભીર છે. મૃતકોમાં બધા પુરૂષ છે. પોલીસના જણાવ્યા અનુસાર પરિવારનું કહેવું છે કે જમ્યા બાદ દરેક લોકોએ દારૂ પીધી હતી.
જો કે જમવાના ખોરાકમાં ઝેર હોવાની આશંકાને ધ્યાનમાં લઇ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ મોત તે લોકોની થઇ છે જેમણે દારૂ પીધો હતો. ઉત્તર પ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 12 લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે. યૂપીના બારાબંકીમાં જેરી દારૂ પીવાથી એક જ પરિવારના ચાર સભ્યો સહિત 12 લોકોનાં મોત નિપજ્યાં છે.
જ્યારે અનેક લોકોને ઝેરી દારૂની અસર થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ લાકો દેશી દારૂના અડ્ડા પરથી દેશી દારૂ લાવ્યા હતા અને પીધા બાદ તેઓને આંખે દેખાવાનું બંધ થયું હતુ. ત્યાર બાદમાં ભારે વેદના થતાં 12 લોકોનાં મોત થયા છે. જ્યારે જે લોકો સારવાર હેઠળ છે તેઓની સ્થિતિ પણ ગંભીર છે.
જોકે, આ મામલે દેશી દારૂના પગલે લઠ્ઠાકાંડની આશંકા છે. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોનું કહેવું છે કે, દેશી દારૂ પીધા બાદ 12 લોકોનાં મોત થયા છે અને કેટલાક લોકો સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરી મહિનામાં પણ આ પ્રકારની ઘટના સહારનપુર અને આસપાસના વિસ્તારમાંથી સામે આવી હતી. જેમાં અંદાજે 50 લોકોનાં મોત થયા હતા.