બુધવારના રોજ ભારતીય સેનાના એક જવાનમાં કોરોના વાયરસ સંક્રમિત હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ શુક્રવારના રોજ સંક્રમણથી બચવા માટે આર્મીની તૈયારીઓની સમીક્ષા કરી છે. સેનેમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે એક એડવાઇઝરી જારી કરી છે.
સેનામાં કોરોના વાયરસ સંક્રમિત હોવાનો મામલો આવ્યો સામે
સેના પ્રમુખે સંક્રમણથી બચવા માટે આર્મની તૈયારીઓની કરી સમીક્ષા
સેનાના 35 ટકા અધિકારીઓ અને 50 ટકા જૂનિયર JCO કરશે ઘરેથી કામ
નવી એડવાઇઝરી મુજબ 23 માર્ચથી સેનાના 35 ટકા અધિકારી અને 50 ટકા જૂનિયર કમીશંડ અધિકારકી (JCO) એક અઠવાડિયા સુધી હોમ આઇસોલેશનમાં રહીને ઘરેથી કામ કરશે. જનરલ નરવણેએ જણાવ્યું કે સેનાનો પહેલો સમૂહ 23 માર્ચથી આઇસોલેશનમાં જશે. ત્યારબાદ બીજી ટુકડીનું હોમ આઇસોલેશન 30 માર્ચથી શરૂ થશે.
સેનાના મુખ્યાલયમાં કર્મચારીઓ અને અધિકારીઓની સંખ્યા ઓછી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. 23 માર્ચથી માત્ર એ જ લોકો આર્મી હેડક્વાર્ટર આવશે, જેઓ ઇમરજન્સી સર્વિસ સાથે જોડાયેલા હોય. આ સાથે સેના મુખ્યાલય પર પણ ભીડ ન થાય, જેના માટે ઓફિસનો સમય બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે.
આ મુજબ ઓફિસનો પહેલો સમય સવારે 9 વાગ્યથી સાંજે 5.30 કલાક સુધી અને બીજો સવારે 9.45થી થી સાંજે 6.15 વાગ્યા સુધી રહેશે. સેના તરફથી જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આઇસોલેશનમાં જનારો સમૂહ એક-બીજાથી મળવાથી બચે અને ઇલેકટ્રોનિક માધ્યમો દ્વારા સંપર્કમાં રહેશે.
નવી એડવાઇઝરી મુજબ સેનામાં ટ્રાન્સફર અને પોસ્ટિંગ પર પણ રોક લગાવામાં આવી છે. જ્યારે પહેલાથી રજા પર ગયેલા જવાનોની રજા 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે.