નાણાં વિભાગે પરિપત્ર બહાર પાડયો છે કે બિન ઉપયોગી બોર્ડ નિગમો બંધ થશે તેમજ સમાન કામ ધરાવતા બોર્ડ, નિગમ, સંસ્થા મર્જ કરાશે
ગુજરાતમાં બિન ઉપયોગી બોર્ડ નિગમો થશે બંધ
સમાન કામ ધરાવતા બોર્ડ, નિગમ, સંસ્થા મર્જ કરાશે
ખર્ચ ઘટાડવા બહાર પડાયો પરિપત્ર
જેમ જેમ 2022ની ચૂંટણી નજીક આવી રહી છે.તેમ નવી નિયુક્તિ પણ જોવા મળી છે.ત્યારે રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં નવી નિયુક્તિઓ કરવાની ફિરાકમાં ભાજપ હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.કેમકે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે બોર્ડ-નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના રિપોર્ટ કાર્ડ મંગાવવા તેમજ રાજીનામા આપવાનો દોર શરૂ થયો છે.તો બીજી તરફ રાજ્યના નાણાં વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
બેલેન્સ શીટમાં બાકીના હિસાબ કરીને બિન ઉપયોગી બોર્ડ બંધ કરાશે
નાણાં વિભાગના પરિપત્ર મુજબ ગુજરાતમાં બિન ઉપયોગી બોર્ડ નિગમોને હવે બંધ કરી દેવાશે અને જે લાગતાં વળગતા બોર્ડ નિગમ છે તેને મર્જ કરી દેવાશે. રાજ્ય સરકારના કુલ 78 બોર્ડ નિગમ છે જેમાંથી સમાન કામ ધરાવતા બોર્ડ, નિગમ, સંસ્થા મર્જ કરી દેવાશે તેવો નિર્ણય નાણા વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ખર્ચ ઘટાડવા પરિપત્ર પણ બહાર પડાયો છે. જેમાં બેલેન્સ શીટમાં બાકીના હિસાબ કરીને અમુક સાહસ બંધ કરી દેવાશે કયા બોર્ડ નિગમ બંધ થશે તેની સ્પષ્ટતા પછી કરવામાં આવશે
બોર્ડ અને નિગમમાં નો-રિપીટ થીયરી લાગુ થશે?
2022ની ચૂંટણી પહેલા ખાલી પડેલી બોર્ડ નિગમની નિમણુંક કરાય તેવી શકયતા સેવાઈ રહી છે.ત્યારે રાજ્ય સરકારના કુલ 78 બોર્ડ નિગમમાં છે,જેમાંથી 40થી વધુ વોર્ડ નિગમ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક બાકી છે.જેમાં અગાઉ 16 જેટલા લોકો રાજીનમાં આપ્યા છે,જ્યારે વધુ કેટલાક ચેરમેન વાઇસ ચેરમેને રાજીનામ આપ્યા છે.જે અંગે હવે આગામી દિવસોમાં નવી નિમણુંક અંગે અત્યારથી જ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચેરમેનો સાથે મુલાકાત કરી લીધી છે. મહત્વનું છે કે 30થી વધુ બોર્ડ નિગમના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની અવધિ પૂર્ણ અગાઉ થઈ ચૂકી છે. ત્યારે બોર્ડ નિગમમાં અવધિ પૂર્ણ થતાં હાલ 10થી વધુ મોટા ગજાના નેતાઓના રાજીનામાં પડી ગયા છે.આગામી દિવસોમાં વધુ રાજીનામાં પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.બોર્ડ અને નિગમમાં નો-રિપીટ થીયરી લાગુ થશે તેવી વાત