રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર હરિયાણા અને પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે ટોલ વસૂલીમાં 600 કરડો રૂપિયાનું નુકસાન થયું છે. રેટિંગ એજન્સી ઈક્રાના એક રિપોર્ટમાં શુક્રવારે આ માહિતી આપવામાં આવી છે. સાથે જ સ્ટેકહોલ્ડર દ્વારા લેવાયેલા 9300 કરોડથી પણ વધારે ઉધાર સંકટમાં છે.
ખેડૂત આંદોલનથી ટોલ ટેક્સને મોટું નુકસાન
ટોલ ટેક્સને થયું 600 કરોડ રૂપિયાનું નુકસાન
9300 કરોડ રૂ.નું ઉધાર પણ સંકટમાં
મળતી માહિતી અનુસાર આંદોલનથી પ્રભાવિત રાજ્યોમાં 2020-21માં ટોલ વસૂલીમાં લગભગ 30-35 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે કોરોના મહામારીના કરાણે દેશના અન્ય ભાગમાં પણ 5-7 ટકાનો ઘટાડો નોંધાયો છે.
પંજાબ, હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં રાષ્ટ્રીય હાઈવે પર સ્થિત કુલ 52 ટોલ પ્લાઝા ખેડૂતોના આંદોલનના કારણે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પ્રભાવિત થયા છે. આ વિસ્તારોમાં સ્ટેટ હાઈવે પ્રોજેક્ટમાં બોજ વધશે.
હિસાર જિલ્લામાં થયું 22 કરોડ રૂપિયાનું નુકસાન
હિસાર જિલ્લાના ખેડૂતો દ્વારા ફ્રી કરાયેલા ચારેય ટોલ નાકા પર 55 દિવસમાં 22 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન સૌથી વધુ જગ્યાઓમાં રામાયણ ટોલ અને બાડોપટ્ટી ટોલ પર નોંઘાયું છે. આ ટોલ દિલ્હી અને હિસારથી ચંડીગઢને જોડે છે. બંને ટોલ પરથી દિવસના લગભગ 30 હજારથી વધારે વાહનો પસાર થાય છે. ટોલને લઈને નવા આદેશ ન આવવાના કરાણે ટેક્સનું મોટું નુકસાન થઈ રહ્યું છે અને કંપનીઓ પણ ચિંતામાં છે.
રોજ દરેક ટોલ પરથી આવે છે કેટલો ટેક્સ
હિસારથી દિલ્હીના રામાયણ ટોલથી લગભગ 18 લાખ રૂપિયાનો ટેકસ રોજ આવે છે. ટોલથી 23 હજાર જેટલા વાહનો પસાર થાય છે. આ રીતે સિરસાના રસ્તા પર લાંઘડી ટોલ પર લગભગ 6 લાખ રૂપિયાનો ટેક્સ આવે છે. અહીં થી લગભગ 11 હજાર વાહનો પસાર થાય છે. હિસારથી ચંડીગઢના રસ્તામાં બાડોપટ્ટી પર 15 લાખ રૂપિયાનો ટેક્સ રોજ આવે છે. અહીંથી લગભગ 10 હજાર વાહનો રોજ પસાર થાય છે. આ સિવાય રાજગઢના ચૌધરીવાસ ટોલ પરથી 14 હજાર વાહનો પસાર થાય છે અને સાથે રોજનો 7 લાખ રૂપિયાનો ટેક્સ આવે છે. આ રીતે કુલ દિવસનો 47 લાખ રૂપિયાનો ટેક્સ આવે છે. જેનું નુકસાન થયું છે.