અમદાવાદઃ પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ થોડીવારમાં અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ઓ.પી.કોહલી સીએમ વિજય રૂપાણી ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા એરપોર્ટ પર તેમનું સ્વાગત્ કરવામાં આવ્યું હતું.
પેજ પ્રમુખોને PMનું સંબોધનઃ
- ચારેય બાજુ કેસરિયો મહાકુંભ દેખાય છે તમે વટ પાડી દીધો
- આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને ક્યારેય નથી જોયા
- ઘણા સમય બાદ આજે જૂની યાદો તાજી થઇ છે
- લોકતંત્રમાં ચૂંટણી એ એક મહાયજ્ઞ છે
- ભૂતકાળમાં અસંખ્ય સંકટો ઝીલ્યા છે
- છાતી તાણીને આજે ઉભા છીએ અમે
- જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે
- ભાજપના નેતાઓએ મને કહ્યું તારીખ આપો
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કેટલાક લોકો અડચણ કરવાનું કામ કરે છે.
- રાહુલ ગાંધીને અમિત શાહનો પડકાર રાહુલ ગાંધીને મોદી નહીં હું જ હિસાબ આપી દઉ. નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમના દરવાજા બંધ કર્યા. ગાંધી પરિવારે નર્મદા યોજના પુરી કેમ ના કરી? કોંગ્રેસ બુલેટ ટ્રેનની મજાક ઉડાવે છે. વિકાસના નામે અત્યારે મજાક ઉડાવાય છે.
- રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધી અમેઠીના બદલે ગુજરાતમાં આવે છે. રાહુલ ગાંધીએ અમેઠીમાં કોઇ વિકાસ કર્યો નથી. ભાજપ જેવું કોઇ સંગઠન નથી. રાહુલ ગાંધી અમેઠીમાં કલેક્ટર ઓફિસ પણ નથી બનાવી શક્યા.
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપ સંમેલનમાં સંબોધન કર્યું હતું. તેમણે ભાજપના કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું. ગુજરાતની પ્રજાએ હંમેશા ભાજપને આર્શિવાદ આપ્યા છે.
- કોંગ્રેસ પર અમિત શાહે પ્રહાર કર્યા છે. આ વિશાળ સભા કોંગ્રેસને જવાબ છે. પછી 5 વર્ષ સુધી કોંગ્રેસ નથી દેખાતી. ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના નેતાઓ દેખાય છે. આ વખતે કોંગ્રેસને મૂળમાંથી ઉખેડી નાખીશું.
- ગુજરાતના 25 લાખ ખેડૂત પરિવારોને વ્યાજથી બચાવવા સરકાર ખેડૂતોને ખેતી માટે લોન આપે છે. જેમાં સીએમ રૂપાણીની ભાજપ સંમેલનમાં જાહેરાત કરી છે કે ખેડૂતોને મળશે 0% વ્યાજે લોન મળશે. મોદી હોઇ ત્યાં વિકાસ સ્વાભાવિક છે. પ્રજાલક્ષી કામો ખુબ જ ઝડપીથી થઇ રહ્યા છે. દૂર દૂર સુધી કેસરીયું વાતાવરણ દેખાઇ રહ્યું છે.
- જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પ્રોક્સી વોર બંધ કરી ભાજપનો સીધ સામનો કરે. કોંગ્રેસ પાસે બે લાખ કાર્યકર્તાઓને ભેગા કરવાની પણ તાકાત નથી.
- ભાટ ગામના ભાજપ સંમેલનમાં જીતુ વાઘાણીએ સંબોધન કર્યું નહતું. તેમણે કહ્યું કે ભાજપે સફળરીતે ગૌરવયાત્રાનું આયોજન કર્યું. ગરમીમાં પણ કાર્યક્રમમાં હાજર રહેવા બદલ કાર્યકર્તાઓને અભિનંદન. ભાજપને મજબૂત નેતૃત્વ મળ્યું છે.149 વિધાનસભા ક્ષેત્રમાં ગૌરવયાત્રા દરમિયાન સભાઓ થઇ.
- ભાટ ગામ ખાતે ભાજપનું મહાસંમેલન યોજાયું. અમિત શાહ પણ સભા સ્થળે પહોંચ્યા છે. પીએમ મોદી અને અમિત શાહનું ફુલહારથી સ્વાગત્ કરવામાં આવ્યું. સંમેલનમાં આનંદીબેન પટેલ અને નીતિનભાઇ પટેલ સભા સ્થેળે પહોંચ્યા છે.
- મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર પીએમ અને અમિત શાહ એક મંચ પર
- પીએમ મોદીનો કાફલો અમદાવાદ એરપોર્ટથી ભાગ ગામ જવા રવાના થયો છે.
ભાજપનું ગુજરાત ગૌરવ મહાસંમેલન યોજાવાનું છે. ગાંધીનગરના ભાટ ગામ પાસે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. આ સંમેલન ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન પ્રસંગે યોજાઈ રહ્યું છે. જે માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
ભાજપના પેજ પ્રમુખોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી 7 લાખથી વધુ પેજ પ્રમુખો ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમ ચૂંટણી પહેલા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર કરાવવા માટે યોજાઈ રહ્યો છે. સાથે ભાજપ આ સંમેલન થકી 150 પ્લસનો વિજય ટંકાર કરશે.