બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / ભારત / Politics / શું રાહુલ-પ્રિયંકા અમેઠી-રાયબરેલીથી ચૂંટણી લડશે? ખડગેએ કરી સ્પષ્ટતા, કહ્યું 'એ અમારી રણનીતિ'

લોકસભા ચૂંટણી 2024 / શું રાહુલ-પ્રિયંકા અમેઠી-રાયબરેલીથી ચૂંટણી લડશે? ખડગેએ કરી સ્પષ્ટતા, કહ્યું 'એ અમારી રણનીતિ'

Last Updated: 12:19 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોંગ્રેસે હજુ સુધી અમેઠી અને રાયબરેલી બેઠકો પરથી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી.

લોકસભા ચૂંટણી 2024નું મતદાન સાત તબક્કામાં થશે અને અત્યાર સુધી બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ થશે. એવામાં આજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે, જેમાં અમેઠી અને રાયબરેલી સહિત ઘણી બેઠકો પર વિચાર મંથન થશે.

rahul-gandhi_78_1

કોંગ્રેસ અમેઠી અને રાયબરેલીથી ઉમેદવારોની જાહેરાત કરી શકે

રિપોર્ટ અનુસાર આ બેઠક આજે રાત્રે 8 વાગ્યે થશે અને એ બાદ કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિ કોંગ્રેસ અમેઠી અને રાયબરેલીથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. જાણીતું છે કે લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોંગ્રેસે હજુ સુધી આ બે બેઠકો પરથી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી.

સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો

સૂત્રો અનુસાર એવું પણ કહેવાય રહ્યું છે કે અમેઠીથી ફરી એક વખત રાહુલ ગાંધી અને રાયબરેલીથી ફરી એક વખત પ્રિયંકા ગાંધી ઉમેદવાર બની શકે તેના પર વિચાર ચાલી રહ્યો છે. જાણીતું છે કે સોનિયા ગાંધી 2004થી રાયબરેલીથી કોંગ્રેસ સાંસદ રહ્યા છે પણ આ વખતે એમને લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. આ બાદ પાર્ટીએ એમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલ્યા છે.

PRIYANKA-GANDHI-VADRA

આ અમારી રણનીતિનો એક ભાગ છે..- ખડગે

એવામાં એક વાતચીત દરમિયાન કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ અને પ્રિયંકાના અનુક્રમે અમેઠી-રાયબરેલીથી ચૂંટણી લડવાના મુદ્દે કહ્યું કે, 'અમે તમને નોમિનેશન સમયે જ તમને તેના વિશે જણાવીશું, આ અમારી રણનીતિનો એક ભાગ છે.'

વધુ વાંચો: મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ

2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધી ભાજપના સ્મૃતિ ઈરાની સામે હાર્યા હતા

નોંધનીય છે કે રાહુલ ગાંધી 2004 થી 2019 સુધી અમેઠીથી લોકસભાના સભ્ય હતા અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને ભાજપના સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે હાલ એવી અટકળો છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આ જ બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે પણ પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ