બ્રેકિંગ ન્યુઝ
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
VTV / ભારત / Politics / શું રાહુલ-પ્રિયંકા અમેઠી-રાયબરેલીથી ચૂંટણી લડશે? ખડગેએ કરી સ્પષ્ટતા, કહ્યું 'એ અમારી રણનીતિ'
Last Updated: 12:19 PM, 27 April 2024
લોકસભા ચૂંટણી 2024નું મતદાન સાત તબક્કામાં થશે અને અત્યાર સુધી બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ થશે. એવામાં આજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે, જેમાં અમેઠી અને રાયબરેલી સહિત ઘણી બેઠકો પર વિચાર મંથન થશે.
રિપોર્ટ અનુસાર આ બેઠક આજે રાત્રે 8 વાગ્યે થશે અને એ બાદ કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિ કોંગ્રેસ અમેઠી અને રાયબરેલીથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. જાણીતું છે કે લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોંગ્રેસે હજુ સુધી આ બે બેઠકો પરથી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી.
સૂત્રો અનુસાર એવું પણ કહેવાય રહ્યું છે કે અમેઠીથી ફરી એક વખત રાહુલ ગાંધી અને રાયબરેલીથી ફરી એક વખત પ્રિયંકા ગાંધી ઉમેદવાર બની શકે તેના પર વિચાર ચાલી રહ્યો છે. જાણીતું છે કે સોનિયા ગાંધી 2004થી રાયબરેલીથી કોંગ્રેસ સાંસદ રહ્યા છે પણ આ વખતે એમને લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. આ બાદ પાર્ટીએ એમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલ્યા છે.
એવામાં એક વાતચીત દરમિયાન કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ અને પ્રિયંકાના અનુક્રમે અમેઠી-રાયબરેલીથી ચૂંટણી લડવાના મુદ્દે કહ્યું કે, 'અમે તમને નોમિનેશન સમયે જ તમને તેના વિશે જણાવીશું, આ અમારી રણનીતિનો એક ભાગ છે.'
2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધી ભાજપના સ્મૃતિ ઈરાની સામે હાર્યા હતા
નોંધનીય છે કે રાહુલ ગાંધી 2004 થી 2019 સુધી અમેઠીથી લોકસભાના સભ્ય હતા અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને ભાજપના સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે હાલ એવી અટકળો છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આ જ બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે પણ પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ