બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / ભારત / Politics / 'PoK ભારતનો હિસ્સો, પાકિસ્તાન પરત કરે..' રાજનાથસિંહ બાદ જયશંકરનો હુંકાર, પાક લાલચોળ
Last Updated: 10:31 AM, 9 May 2024
Lok Sabha Election 2024 : વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર PoK ને લઈ મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, આ અઠવાડિયે આ બીજી વખત છે જ્યારે જયશંકરે PoKને ભારતનો અભિન્ન અંગ ગણાવ્યો છે. આ પહેલા 5 મેના રોજ ઓડિશાની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો PoKને ભૂલ્યા નથી, લોકો તેને ફરીથી દેશમાં જોડવા માંગે છે. જયશંકરે દિલ્હીની ગાર્ગી કોલેજમાં કહ્યું કે, પાકિસ્તાને PoK પરત કરવું જોઈએ. તેણે તેને PM મોદીનું સૌથી મોટું સપનું ગણાવ્યું. આ સિવાય તેમણે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા તરફ પણ લોકોનું ધ્યાન દોર્યું હતું. જયશંકરે 370ને મોદી સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવતા કહ્યું કે, હવે દેશની જનતાએ પણ સ્વીકારી લીધું છે કે 370 ફરી કાશ્મીરમાં નહીં આવે. તેમજ હવે અમારો હેતુ PoKની જમીન બદલવાનો છે.
ADVERTISEMENT
વિદેશ મંત્રી એસ જયશંકર બે દિવસના ચૂંટણી પ્રચાર માટે 5 મેના રોજ ઓડિશા ગયા હતા. આ દરમિયાન જયશંકરે કહ્યું હતું કે, આઝાદી પછી તત્કાલીન સરકારે ક્યારેય પાકિસ્તાનને આ જમીન ખાલી કરવા માટે કહ્યું નથી જેના કારણે આજે આપણે આ દિવસો જોયા છે. ગયા અઠવાડિયે જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ PoK પર જયશંકરના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતું.
ADVERTISEMENT
#WATCH | Delivering an address at Gargi College on Vishwa Bandhu Bharat, EAM Dr S Jaishankar says, "...There is a parliament resolution, and every political party in the country is committed to ensuring that the POK which is part of India returns to India..." pic.twitter.com/5l1mTIDAuj
— ANI (@ANI) May 8, 2024
રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત PoK પર પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે આજે કાશ્મીરની પ્રગતિ જોઈને PoK ના લોકો પોતાને ભારતનો હિસ્સો માને છે. આ બતાવે છે કે, PoK પર અમારી વિચારસરણી ક્યાં છે. ભારતે આ માટે કંઈ કરવાની જરૂર નહીં પડે. કાશ્મીરમાં જે રીતે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને આર્થિક પ્રગતિ થઈ રહી છે, કારણ કે ત્યાં શાંતિ પાછી આવી છે, મને ખાતરી છે કે એક દિવસ PoKને પણ ભારતમાં વિલીનીકરણની માંગ થશે. રાજનાથ સિંહે કહ્યું કે, PoKમાં અમારે કોઈપણ પ્રકારનું બળપ્રયોગ નહીં કરવો પડે. ત્યાંના લોકો પોતે જ ભારતમાં ભળી જશે. તેમણે કહ્યું કે PoK અમારું હતું અમારું છે અને અમારું જ રહેશે.
વધુ વાંચો : એર ઈન્ડિયાએ લીધા મોટા એક્શન, Sick Leave પર જનારા કર્મચારીઓને પકડાવ્યા ટર્મિનેશન લેટર
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે આજે કાશ્મીરની પ્રગતિ જોઈને PoKના લોકો પોતાને ભારતનો હિસ્સો માને છે. PoK પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું . ભવિષ્યમાં શું થશે? તે કહેવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ, હું તમને કહેવા માંગુ છું કે દેશના લોકો PoK ને ભૂલ્યા નથી. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 પહેલા જ હટવી જોઈતી હતી. 370 પહેલા કાશ્મીરમાં અલગતાવાદ અને આતંકવાદ હતો. વિદેશ મંત્રી આ દિવસોમાં ઓડિશાના પ્રવાસે છે. તેઓ અહીં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા અને ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લોકસભા ચૂંટણી 2024 / ભારતની નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે કર્યું પ્રથમ મતદાન, કરી જનતાને અપીલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT