બ્રેકિંગ ન્યુઝ
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
Last Updated: 11:17 AM, 9 May 2024
અયોધ્યામાં જતા રામ ભક્તોને હવે ટૂંક સમયાં જ રામ મંદિર પરિસરમાં રામ દરબારના દર્શન થવાના છે. રામ મંદિરના પહેલા માળે રામ દરબાર બનાવવામાં આવશે. આ રામ દરબારની તૈયારી રામ મંદિર ટ્રસ્ટે શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ જાન્યુઆરી 2024 સુધી પુરુ કરવાનું લક્ષ્યાંક છે. ગત 22 જાન્યુઆરીએ પહેલા તબક્કાનું નિર્માણ પુરુ થયાં બાદ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. જે બાદ ભવ્ય અને અલૌકિક મંદિરમાં શ્રદ્ધાળુ રામલાલની પાવન મૂર્તિના દર્શન કરી રહ્યા છે. હવે રામ મંદિરમાં ભોંયતળિયા પર રામ દરબાર બનાવવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે.
ADVERTISEMENT
बिनु सत्संग विवेक न होई।
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) May 9, 2024
राम कृपा बिनु सुलभ न सोई॥
प्रभु रामलला सरकार के दिव्य दर्शन। #RamAarti #Ramlalla #RamMandir #Ayodhya pic.twitter.com/f9bLZ54Zq4
ADVERTISEMENT
રામ મંદિરના ભોંયતળિયે પ્રભુ શ્રી રામના દરબારની સ્થાપના માટે દેશના સૌથી જાણીતા ચિત્રકાર વાસુદેવ કામત મૂર્તિની ડિઝાઈન તૈયાર કરી રહ્યા છે. આ રામ દરબારમાં પ્રભુ શ્રી રામની સાથે માતા કૌશલ્યા, પિતા દશરથ સહિત લક્ષ્મણજી, શત્રુધ્નજી અને ભરતજીની પ્રતિમાનું પણ સ્થાપન કરાશે. આ રામ દરબાર માટે મૂર્તિ તૈયાર કરવા જે ચિત્રો બનાવવાના છે, તેની જવાબદારી રામ મંદિર ટ્રસ્ટે ચિત્રકાર વાસુદેવ કામતને આપી છે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના કહેવા પ્રમાણે રામ મંદિરમાં ભોંયતળિયા પર રામ દરબાર બનશે. રામ દરબારમાં ભોંયતળિયા પર જ રામાયણના રચયિતા તુલસીદાસજીની પ્રતિમાનું પણ સ્થાપન કરવામાં આવશે. હાલ આ આર્ટવર્ક માટે મયૂરલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
તમને એ પણ જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ રામ લલાની પ્રાણ પ્રતિષ્ટા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીજીએ આ પ્રાણ પ્રતિષ્ઠાની પૂજામાં ભાગ લીધો હતો. અને રામ મંદિર બની ગયા પછી રોજેરોજ લાખો લોકો દર્શન માટે પહોંચી રહ્યા છે. હવે મંદિરને આખરી ઓપ આપવા પર રામ મંદિર ટ્રસ્ટ ધ્યાન આપી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લોકસભા ચૂંટણી 2024 / ભારતની નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે કર્યું પ્રથમ મતદાન, કરી જનતાને અપીલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT