બ્રેકિંગ ન્યુઝ
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
VTV / ગુજરાત / Politics / 'It is not right that the Kshatriya community should rise against Modi Saheb' Parshottam Rupala apologized and requested
Vishal Dave
Last Updated: 10:37 PM, 26 April 2024
ક્ષત્રિય સમાજ સામે વિવાદીત નિવેદનને લઇને રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ફરીએકવાર સ્વીકાર્યુ કે તેમનાથી ભૂલ થઇ ગઇ હતી... જસદણમાં સભા સંબોધતા તેમણે કહ્યું કે ભૂલ મારી હતી, મારા લીધે મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજ ઉભો થઇ જાય તે યોગ્ય નથી. મેં માફી માંગી છે. આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી પરંતુ સમાજ જીવનના તાણાવાણાને સ્પર્શતો મુદ્દો છે. સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ છે. મારી વિનંતી છે કે ક્ષત્રિયો આ વિષયને રાજકારણથી દુર રાખે..
રાષ્ટ્રના ઘડતર અને પાર્ટીના વિકાસની અંદર ક્ષત્રિયોનું મોટુ યોગદાનઃ રૂપાલા
તેમણે કહ્યું કે મારે ક્ષત્રિય સમાજને કહેવું છે કે તમારા યોગદાનને યાદ કરો, આ રાષ્ટ્રના ઘડતર અને પાર્ટીના વિકાસની અંદર કેવડુ મોટુ યોગદાન. મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી જ્યારે 18-18 કલાક દેશ હિત માટે કામ કરતા હોય ત્યારે તેમની વિકાસયાત્રામાં સાથી તરીકે હું કેટલા ક્ષત્રિયોના નામ લઇ શકું. .એ ક્ષત્રિય સમાજ આજે મારા કારણે મોદી સાહેબની સામે ઉભો થઇ ગયો છે.. મારી વિનંતી છે કે આપણે સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ કરીએ.
મહત્વપૂર્ણ છે કે પરષોત્તમ રુપાલા દ્વારા કરવામાં આવેલા એક નિવેદનને લઇને ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો..આ મામલે રૂપાલા અગાઉ પણ બે વાર પોતાના નિવેદન પર માફી માંગી ચૂક્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ