મુંબઇ: પાકિસ્તાન સેના પ્રમુખને ગળે લાગ્યા બાદ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ સાંસદ નવજોત સિંહ સિદ્ધૂની સમસ્યા વધતી જઇ રહી છે. ભાજપ સિદ્ધૂના આ વલણને જોઇને હુમલાવર થઇ ગઇ છે. સોમવારે મુંબઇમા આઝાદ ગ્રાઉ્ડમાં ભાજર કાર્યકર્તાઓ તરફથી સિદ્ધૂ વિરુદ્ધ મોર્ચાનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ એનું પોસ્ટર સળગાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કાર્યક્રમ સ્થળ પર તૈનાત પોલિસે કોઇ પણ રીતે મોર્ચો સંભાળ્યો.
જણાવી દઇએ કે પાકિસ્તાન પીએમ ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમા સામેલ થવા ગયેલા નવજોત સિંહ સિદ્ધૂએ પાક સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ભેટ્યા હતા.
બીજી બાજુ ભાજપ નેતા અને દરગાહ કમિટી અજમેરના સભ્ય મોહમ્મદ ફારુખ આઝમે સિદ્ધૂ પર નિશાન સાધ્યું છે. ફારૂખ આઝમે કહ્યું કે જ્યાં સિદ્ધૂની ધરપકડ કરીને એની તરફ દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવશે નહીં ત્યાં સુધી એ દરેક જગ્યાએ ધરણા પ્રદર્શન અને આંદોલન કરતા રહેશે. આ સાથે જ ભાજપ નેતાએ સિદ્ધૂના હાથ પગ કાપવાની પણ ધમકી આપી દીધી. એમને કહ્યું કે જો સિદ્ધૂએ મુંબઇમાં પગ મૂક્યો તો અમે એના હાથ પગ કાપી નાંખીશું.
જણાવી દઇએ કે મુંબઇમાં આંદોલન દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ સિદ્ધૂનું પોસ્ટર સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ વચ્ચે ત્યાં હાજર પોલીસ કર્મીઓએ આંદોલનકારીઓને આવું કરતાં રોકી દીધા. આંદોલનકારીઓએ સિદ્ધૂ મુર્દાબાદના નારા લગાવ્યા.