મોઢામાં ચાંદા પડવાના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ આ રીતે ઘરગથ્થુ ઉપાયો દ્વારા તેને જલ્દી મટાડી શકાય છે.
મોઢાના ચાંદામાં રાહત આપશે આ ઘરેલું નુસ્ખા
એલોવેરા અને લસણનો આ રીતે કરો ઉયોગ
બરફ પણ ચાંદાના દુખાવામાં આપશે રાહત
મોઢામાં ચાંદા પડવાના કારણે કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે તે આપણે બધાએ એક વખત તો અનુભવી જ હશે. જ્યારે પણ આપણા મોઢામાં ચાંદા પડે છે ત્યારે તે સરખુ થતા એક અઠવાડિયા કરતા વધુ સમય લાગી જાય છે. તેના કારણે આપણે ભોજન કરતી વખતે અને પાણી પીતી વખતે પણ દુખાવો થાય છે. મોઠામાં ચાંદા પડવાના ઘણા કારણો હોઈ શકે છે જેના કે ટૂથ બ્રશના કારણે મોઠામાં ઈજા પહોંચવી, ડેન્ટલ બ્રેસેઝ, વિટામિનની કમી, અનિદ્રા અને સ્ટ્રેસ જેવા કારણો.
લસણ
લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે. મોઢામાં પડેલા ચાંદામાંથી છુટકારો મેળવવા માટે લસણનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક રહે છે. લસણની અંદર એલિસિન નામનો પદાર્થ રહેલો છે જે ચાંદાને દૂર કરવામાં મદદ કરે છે.
એલોવેરા
તમે તમારા મોઠામાં પડતા ચાંદાને એલોવેરા જેલની મદદથી પણ દૂર કરી શકો છે. તેના માટે એલોવેરા જેલને પોતાના મોઢાના ચાંદા પર લગાવો તેનાથી મોઢાને ઠંડક મળશે સાથે જ ચાંદા પણ ઠીક થઈ જશે.
બરફ
ઘણી વખત મોઢામાં ચાંદા પેટની ગરમીના કારણે પણ પડે છે. એવામાં તમે બરફનો ઉપયોગ કરી શકો છો. તેના માટે બરફના ટુકડાને પોતાની જીભ પર હલ્કા હાથથી લગાવો. જ્યારે લાર ટપકે તો તેને ટપકવા દો. તેનાથી તમને રાહત મળશે.