બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
vtvAdmin
Last Updated: 04:43 PM, 30 March 2019
છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર દેશમાં ત્રિપલ તલાક મુદ્દે વિવિધ પ્રકારના મત મતાંતરો સેવાઈ રહ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે અંગે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે ત્રિપલ તલાકનો મુદ્દો ગેર બિનબઁધારણીય બાબત છે. આ ચુકાદાને ભારતભરની મહિલાઓએ હરેખભેર સ્વીકારી લીધો છે. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આજે ટ્રીપલ તલાક પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પાંચ જજની બેંચમાંથી 3 જજે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ઠેરવ્યો હતો એટલે કે આ નિર્ણયની સાથે જ દેશમાં ત્રિપલ તલાક સમાપ્ત થયો હતો.
ત્રિપલ તલાક અને હલાલાનો ભોગ ભારતની એક ખ્યાતનામ અભિનેત્રી પણ બની હતી. 1 ઓગષ્ટ 1933ના રોજ મુંબઇ ખાતે જન્મેલી મહજબી બાનો આગળ જતા મીના કુમારીના નામે જાણીતી બની હતી. મીનાકુમારી નાઝના ઉપનામથી ખુબ જાણીતી હતી. તે ઉત્તમ કવિયત્રી અને ગાયક પણ હતી.
સમય જતા મીના કુમારીની ઓળખાણ પાકીઝા ફિલ્મના દિગ્દર્શક કમાલ અમરોહી સાથે એક દવાખાનામા થઈ અને 14 ફેબ્રુઆરી1952ના રોજ તે લગ્નમા પરીણમી. 19 વર્ષીય મીનાએ 34 વર્ષના ફિલ્મ દિગ્દર્શક કમાલ અમરોહી સાથે લગ્ન થયા. ગણ્યા ગાઠ્યા લગ્નજીવ બાદ એકવાર મીના કુમારીને તેમના પતિએ ગુસ્સામાં આવીને ત્રિપલ તલાક આપ્યા આ ઘટનાથી તે ખુબ વ્યથીત થઈ કારણકે ધર્મના નામ પર સ્ત્રીઓ સાથે આવો વ્યવહાર તે સહી ના શકી. 1964મા બંનેના છુટાછેડા થયા. આ સમગ્ર ઘટના બાદ મીનાકુમારી ખુબ પડી ભાંગી હતી. અંતે મીના સીગારેટ અને દારુના રવાડે ચડી ગઇ. એકલવાયુ જીવન જીવતી મીના કુમારી ફક્ત 39 વર્ષની નાની ઉંમરે 31 માર્ચ 1972માં ફાની દુનિયા છોડીને જતી રહી હતી. મીનાને તેની કારકિર્દી દરમિયાન એક ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.
આજે ત્રિપલ તલાકના સુપ્રિમે આપેલ ચુકાદા દ્વારા મીનાકુમારી જેવી કેટલીય મહિલાઓને ન્યાય મળ્યો છે. આ નિર્ણયને ભારત સહિત વિશ્વના કેટલાક રાષ્ટ્રોએ પણ વખાણ્યો છે. સુપ્રિમ કોર્ટે આ સાથે સરકારને હુકમ પણ કર્યો છે કે આ અંગે 6 માસની અવધીમાં એક ખાસ કાયદો બનાવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ