બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
Vishal Khamar
Last Updated: 07:19 PM, 17 April 2024
રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ આજે પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદે યોજી હતી. જેમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા આ મામલે રાજકારણ ગરમાયું હતું. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે સંભવિત બધું કોંગ્રેસમાં હોય છે. જો કે ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે પરેશ ધાનાણીએ આ વાત કહેતા રૂપાલાની ટિકિટ પર સવાલો ઉભા થયા છે.
રૂપાલ અને તેમને સંભવિત ઉમેદવાર કહેતા મામલો ગરમાયો
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આ મામલે કોઈપણ પ્રકારનું સમાધાન થયું નથી. તેવામાં આજે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં રૂપાલાને ભાજપના સંભવિત ઉમેદવાર કહ્યા હતા. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે રૂપાલાએ માતૃશક્તિને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમજ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવા આવ્યું છે. જ્યારે પરેશ ધાનાણીએ આમ કહીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ ખેડૂતોના પ્રશ્નો તેમજ આઉટસોસિંગના પ્રશ્નો ઉઠાવીને ભાજપને આડેહાથ લીધી હતી.જોકે રૂપાલ અને તેમને સંભવિત ઉમેદવાર કહેતા મામલો ગરમાયો હતો.
વધુ વાંચોઃ તોબા પોકારી જશો! ગુજરાતના આ 5 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, હવામાન વિભાગે કરી ધગધગતી આગાહી
સૌરાષ્ટ્રની સાતે સાત લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહરાશે
બીજી તરફ આ મામલે સૌરાષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંભવિત વાતો બધી કોંગ્રેસમાં હોય છે. જ્યારે ભાજપમાં આ પ્રકારની વાતો હોતી નથી. આ બેબુનિયાદ વાતો કરીને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ કરતાં વધુની લીડથી જીતશે. તેમજ સૌરાષ્ટ્રની સાતે સાત લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહરાશે. રાજુએ ક્ષત્રિય સમાજના વિરોધ મામલે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી અને ક્ષત્રિય સમાજના આશીર્વાદ પણ ચૂંટણીમાં રૂપાલાને જ મળશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ