બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / ભાવનગર / One more death due to swine flu in Bhavnagar

ફફડાટ / સ્વાઈન ફ્લુએ લીધો વધુ એકનો ભોગ, બે દિવસ પહેલા પણ થયું હતું એક મહિલાનું મોત

Vishal Khamar

Last Updated: 09:59 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જીલ્લામાં સ્વાઈન ફ્લૂથી સારવાર હેઠળ રહેલ મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે અચાનક સ્વાઈન ફ્લૂનાં કેસમાં વધારો થતા આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.

રાજ્યમાં ધીમે ધીમે સ્વાઈન ફ્લૂનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર જીલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર ફરી જોવા મળી રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી વધુ એક વૃદ્ધનું મોત થતા લોકો ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. ત્યારે બે દિવસ પહેલા એક મહિલાનું સ્વાઈન ફ્લૂનાં કારણે મોત થયું હતું. જ્યારે ગઈકાલે ઘોઘાના વૃદ્ધનું સ્વાઈન ફ્લૂથી મોત થયું હતું. 

ફાઈલ ફોટો

ભાવનગરમાં સ્વાઈન ફ્લૂથી મૃત્યું આંક બે પર પહોંચ્યો
મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 55 વર્ષીય મહિલાનું સ્વાઈન ફ્લુથી સર.ટી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જે બાદ 57 વર્ષીય વૃદ્ધા પણ સ્વાઈન ફ્લૂ પોઝીટીવ આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ત્યારે ભાવનગરમાં સ્વાઈન ફ્લૂથી મૃત્યું આંક બે પહોંચ્યો હતો. 

આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરી
ભાવનગરમાં સ્વાઈન ફ્લૂનાં બે દર્દીઓનાં મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. તેમજ દર્દીઓનાં સંપર્કમાં આવેલ તમામ લોકોનાં આરોગ્યની તપાસ હાથ ધરી હતી. 

ગત રોજ વડોદરામાં સ્વાઈન ફ્લૂથી વૃદ્ધાનું મોત નિપજ્યું હતુ
વડોદરામાં સ્વાઇન ફલૂએ ફરી ઉંચક્યું માથું છે. સ્વાઇન ફ્લૂ અને કોરોના કેસમાં વધારો થયો છે. અકોટા વિસ્તારની વૃદ્ધાનું સ્વાઇન ફલૂથી મોત થયું છે. 67 વર્ષીય વૃદ્ધાને શરદી ખાંસીની ફરિયાદ થતાં ગોત્રી હોસ્પિટલ દાખલ કરાયા હતા. ગોત્રી હોસ્પિટલમાં 32 વર્ષના યુવાન સહિત સ્વાઇન ફલૂનાં બે નવા દર્દીઓ દાખલ છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં પણ એક વર્ષની બાળકી દાખલ હતી. જયારે SSGમાં સ્વાઇન ફ્લૂનો એક અને કોરોનાના 4 દર્દીઓ દાખલ છે. સ્વાઇન ફલૂ તથા કોરોનાના કેસમાં વધારો થતાં મહાનગરપાલિકા એકશન મોડમાં આવી છે.

 સાવધાની અને સતર્કતા ખુબ જરૂરી
સ્વાઇન ફ્લૂ એ એક ચેપી રોગ છે, જે છીંક, ખાંસી (ઉધરસ), સ્પર્શ વગેરે દ્વારા ફેલાય છે. તેના વાઈરસ સ્ટીલ, પ્લાસ્ટિકમાં 24થી 48 કલાક, કપડાં અને કાગળમાં આઠથી 12 કલાક, ટિશ્યુ પેપરમાં 15 મિનિટ અને હાથમાં 30 મિનિટ સુધી સક્રિય રહે છે. આ વાઈરસને ખતમ કરવા માટે ડિટરજન્ટ્સ, આલ્કોહોલ, બ્લીચ અથવા સાબુનો ઉપયોગ કરી શકાય છે.

વધુ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીએ 7 અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા, પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે હોસ્ટેલમાં રહેતા હતા

સ્વાઈન ફ્લૂના આ ઉપચાર પણ જાણી લો

  • યુવાનોને તાવ અને શરદીથી બચાવવા માટે પેરાસિટામૉલ આપવામાં આવે છે.
  • 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એસ્પિરિન જેવી દવા ન આપવી જોઈએ.
  • સ્વાઇન ફ્લૂની સારવાર સામાન્ય ફલૂની જેમ જ કરવામાં આવે છે અને ઠંડી, કફ, તાવથી બચવા માટે પેરાસિટામૉલ કે એન્ટિરેટ્રોવાઈરલ જેવી એન્ટિવાઈરલ દવાઓ આપવામાં આવે છે.
  • સ્વાઇન ફ્લૂથી બચવા સલામતીનાં પગલાં અનુસરો. ચેપ લાગવાની શક્યતા હોય એવી જગ્યાએ માસ્ક પહેરવાનું ખાસ યાદ રાખો. સ્વાઇન ફ્લૂ ફેલાયો હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ