બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
vtvAdmin
Last Updated: 05:22 PM, 30 March 2019
ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ પ્લેયર સચિન તેંડુલકર વનડે મેચમાં 10 નંબરની જર્સી પહેરીને ગ્રાઉન્ડ પર રમવા માટે આવતા હતા. પરંતુ હવે ટીમ ઇન્ડિયાનો કોઇ પણ બીજો પ્લેયર આ નંબરની જર્સીમાં નહી જોવા મળે. BCCIએ પ્લેયર્સની સહમતિ લીધા પછી નિર્ણય કર્યો છે કે આગળથી ભારતીય ક્રિકેટ ટીમના કોઇ પણ પ્લેયરને 10 નંબરની જર્સી નહી આપવામાં આવે. જોકે આ અંગે કોઇ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.
BCCIએ ઇચ્છે છે કે 10 નંબરની જર્સમી માત્ર સચિનના નામ પર જ રહે અને આ તેમને પ્લેયર્સ અને બોર્ડની તરફથી આ સમ્માન આપવામાં આવ્યુ છે. વર્ષ 2013માં સચિને ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતુ. તેમણે છેલ્લી મેચ 2012માં પાકિસ્તાનની વિરુદ્ઘ વન ડે મેચમાં 10 નંબરની જર્સી પહેરી હતી જે પછી 5 વર્ષ સુધી કોઇ પણ પ્લેયરે નંબરની જર્સીનો ઉપયોગ કર્યો ન હતો.
ગત વર્ષ ઓગસ્ટમાં શ્રીલંકા વિરુદ્ઘ ફાસ્ટ બૉલર શાર્દુલ ઠાકુરને 10 નવેમ્બરના જર્સી પહેરી ત્યારે ક્રિકેટ ફેન્સમાં ખૂબ જ ગુસ્સો જોવા મળ્યો હતો સોશ્યલ મીડિયા પર ઠાકુરને ટ્રોલ કરવામાં આવ્યો અને તેના પર સચિન બનવાનો પ્રયત્ન કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ કારણથી જ કોઇ પણ પ્રકારના વિવાદથી બચવા માટે BCCIએ આ નિર્ણય લીધો છે. કેમકે વિવાદથી ક્રિકેટરને પણ ટીકાઓનો સામવો કરવો પડે છે જેની અસર તેના ફોર્મ પર પડે છે. આ કારણથી 10 નંબરની જર્સીને પણ રિટાયર કરવામાં આવશે. જોકે ઇન્ડિયા અથવા તો કોઇ ઘરેલૂ મેચમાં પ્લેયરને 10 નંબરની જર્સી પહેરવાની છૂટ આપવામાં આવી છે જોકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઇ પણ ભારતીય પ્લેયર 10 નંબરની જર્સી ગ્રાઉન્ડ પર નહી પહેરેલો જોવા મળે.
તમને જણાવી દઇએ કે IPLમાં ટીમ મુંબઇ ઇન્ડિયન્સે પણ 2013માં સચિનના રિટાયર્મેન્ટ પછી 10 નંબરની જર્સીને પોતાની ટીમમાંથી રિટાયર કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ