બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
Last Updated: 06:35 PM, 5 May 2024
લોકસભા ચૂંટણીને મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજની ભાજપ પ્રત્યેની નારાજગી હજુ પણ જોવા મળી રહી છે. ક્ષત્રિયોની અસ્મિતાની લડાઇને લઇ ભાજપને પણ ફાડ પેઠી છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 37 દિવસથી ઠેરઠેર ક્ષત્રિયો ભાજપ સામે મોરચો માંડીને બેઠા છે. આજે અમદાવાદના નરોડા ખાતેથી શરૂ થયેલી ક્ષત્રિય ધર્મરથ યાત્રા નરોડા, કૃષ્ણનગર, બાપુનગર વિસ્તારમાં ફરી હતી અને સાંજે વસ્ત્રાલ ખાતે પૂર્ણ થઈ હતી. ક્ષત્રિયોના ધર્મરથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ નારી અસ્મિતાની લડાઇ સાથે નિકળેલી યાત્રામાં ‘જય ભવાની ભાજપ જવાની’ના નારા લગાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ભાજપ દ્વારા રાજારજવાડા પર બહેન દિકરીને લઇને કરાયેલા અભદ્ર ટિપ્પણી બાદ ગુજરાતમાં નહી સમગ્ર દેશમાં ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. આટલું જ નહી ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહી કરતા રાજપૂતો વધુ ભળક્યા છે. અને ભાજપ વિરુદ્ધ મતદાનની ખુલ્લેઆમ જાહેરાત કરી ભાજપનો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 37 દિવસથી ગુજરાતમાં ક્ષત્રિયોના સંમેલનો અને યાત્રા ચાલી રહી છે. ત્યારે આજે સવારે અમદાવાદના નરોડા ખાતેથી શરૂ થયેલી ક્ષત્રિય ધર્મરથ યાત્રા નરોડા, કૃષ્ણનગર, બાપુનગર સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ક્ષત્રિય સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. યાત્રામાં ‘જય ભવાની ભાજપ જવાની’ના નારા લગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ વિશ્લેષણ / ...તો એટલે ગુજરાતમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ રૂપાલાની ટિકિટ રદ ન કરાઇ! જાણો ઇનસાઇડ સ્ટોરી
ADVERTISEMENT
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે. સવારે અમદાવાદના નરોડા જય માતાજી ચોક શરૂ થયેલી આ યાત્રા નરોડા ગામ ખાતે પહોંચી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ઝંડા સાથે બાઈકો અને ગાડીઓના કાફલામાં નીકળેલી આ યાત્રા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી હતી.નારી અસ્મિતાની લડાઈ માટે ક્ષત્રિય સમાજની બહેનો-દીકરીઓ પણ હવે રસ્તા પર ઉતરી છે. હાથમાં તલવાર લઈને તલવાર રાસ વડે સમાજની દીકરીઓએ તેમની શક્તિ બતાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT