બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમે પણ લસણના ફોતરાને નકામા સમજીને ફેંકી દો છો? તો એવું ના કરતા, તેના છે અનેક ફાયદા
Last Updated: 01:53 PM, 8 May 2024
દરેક લોકો જાણે છે કે લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકરક છે પરંતુ ઓછા લોકો જાણતા હોય છે કે તેની ઉપરની છાલ પણ ગુણકારી હોય છે. ખોરાકમાં લસણનો ઉપયોગ સ્વાદ અને સુગંધ માટે થાય છે પરંતુ તેની ઉપરના ફોતરાને નકામા સમજીને ફેંકી દેવાય છે. પરંતુ આજે અમે તમને લસણના ફોતરાના ફાયદા વિશે જાણકારી આપીશું.
ADVERTISEMENT
લસણના ફોતરાથી ગજબના બેનિફિટ મળે છે. તેનાથી અસ્થમા અને પગમાં આવતા સોજામાં પણ રાહત પોહચે છે. લસણના ઉપરના ફોતરા એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ, અને એન્ટી ફંગલથી ભરપૂર હોય છે. તેના ફોતરાના પાવડર પીઝા અને સેન્ડવીચમાં ઉપયોગ કરી શકાય છે.
ADVERTISEMENT
સ્કિન
જે લોકોને સ્કિનનો પ્રોબ્લેમ રહે છે તેમના માટે લસણના ફોતરા ફાયદાકરક સાબીત થાય છે. ખુજલીમાં પણ રાહત આપે છે. તેના ફોતરાને પાણીમાં થોડા કલાકો સુધી પલાળીને રાખીને તેને ખુજલીવાળા એરિયામાં લગાવાથી ખુજલી અને ઇરીટેશનની સમસ્યાથી રાહત મળે છે. તેનાથી પિંપલ પણ મટે છે.
અસ્થમા
જે લોકોને અસ્થમાનો પ્રોબ્લેમ રહે છે તેમના માટે લસણના ફોતરા ગુણકારી સાબીત થાય છે. તેના છોતરાને વાટીને તેને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી અસ્થમામાં રાહત મળે છે.
પગના સોજા
જો તમને પગમાં સોજાની તકલીફ રહે છે તો લસણના ફોતરાનો ઉપયોગ કરી શકો છો. ગરમ પાણીમાં લસણના ફોતરા નાખી તેમાં થોડા સમય સુધી પગ ડુબાડીને રાખો. આવું કરવાથી પગના સોજા ઓછા થવા માંડશે અને દર્દ પણ દૂર થશે.
વાળ
લસણના છોતરાને પાણીમાં ગરમ કરીને તેને વાળમાં લગાવવાથી વાળ સબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે. જેમાં ડેન્દ્રૂફ કે ખણ આવવી જેવી સમસ્યા દૂર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT