બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Priyakant
Last Updated: 09:45 AM, 4 April 2024
Bhavnagar Water Problem : ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં તો પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. ભાવનગર શહેરમાં પણ પીવાના પાણીની અછતના એંધાણ દેખાઈ રહ્યા છે. જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે. તો વળી ટેન્કરથી પાણી વિતરણની માગ વધી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પ્રેશરથી પાણી નથી આવતું એટલું જ નહીં ટેન્કર પણ સમયસર નથી મળી રહ્યા.
ભાવનગર શહેરના મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે તો જિલ્લાના 13 ડેમમાંથી માત્ર 3 ડેમમાં 60થી 70 ટકા જેટલું પાણી છે જ્યારે અન્ય ડેમમાંઆ માત્ર 20 થી 35 ટકાજ પાણી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઊભી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ભાવનગર શહેરમાંઆ શેત્રુંજી, બોર તળાવ અને મહી પરીએજ યોજનામાંથી પાણી આપવામાં આવે છે.
ભાવનગર શહેરમાં દૈનિક 175 MLD પાણીની જરૂરિયાત છે જેની સામે હાલ 170 MLD પાણી આવી રહ્યું છે. જોકે શહેરમાંઆ પાણીની ઘટ ઊભી થતાં મહી પરીએજ યોજનામાંથી 7થી 10 MLD વધારાનું પાણી લેવામાં આવશે તેવો દાવો અધિકારીઓ કરી રહ્યા છે. આ તરફ BMC અધિકારીઓ ના દાવામાં કેટલું સત્ય એ તો આવનારા દિવસોમાંઆ જ જાણવા મળશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ