બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
vtvAdmin
Last Updated: 05:38 PM, 30 March 2019
સામાન્યપણે લોકો જમ્યા પછી કેટલાક એવા કામ કરતા હોય છે જેના વિષે તેમને પૂરી જાણકારી નથી હોતી અને એવી ટેવોથી તમારા શરીરને નુક્સાન પહોંચતુ હોય છે.
1. ગરમ પાણીથી નહાવું:
ડોક્ટર્સ પ્રમાણે ભોજનને પચવા માટે એનર્જીની જરૂર હોય છે પરંતુ જમ્યા પછી તરત જ ગરમ પાણીથી નહાવાથી શરીરનું તાપમાન વધી જાય છે. તેને સંતુલિત કરવા માટે બ્લડ સરક્યુલેશન ચામડી તરફ થવા લાગે છે જેના લીધે ઘણી એનર્જી એમાં જ વેસ્ટ થઈ જાય છે. બીજું જમ્યા પછી નહાવાથી હાથ અને પગમાં બ્લડ ફ્લો વધી જાય છે પરંતુ પેટની ચારેબાજુ લોહીનું પ્રમાણ ઘટી જાય છે. સતત એમ કરવાથી પાચન તંત્ર નબળું પડી જાય છે. તેના કારણે તમે હળવી વસ્તુ ખાઓ તો પણ તમને પચતી નથી.
2. ચા પીવી:
ઘણી વાર તમે જોયું હશે કે કેટલાક લોકો જમ્યા પછી ચા પીવાનું પસંદ કરતા હોય છે. જો તમે પણ એવું કરતા હોવ તો એ ટેવને તરત જ બદલી નાંખજો. ચામાં પોલિફિનોલ્સ અને ટેનિંસ જેવા કેમિકલ હોય છે જે ભોજનમાંથી મળતા પોષકતત્વોને નષ્ટ કરી નાંખતા હોય છે. બીજું 50 ગ્રામ ચામાં જ 40 ગ્રામ એસિડ હોય છે જે બોડીના પ્રોટિનને તો નુક્સાન પહોંચાડે જ છે પરંતુ તમારી ઊંઘને પણ દૂર કરવાનું કામ કરે છે.
3. ચાલવા નિકળવું:
જે લોકો જમ્યા પછી એમ વિચારીને લાંબા અંતર માટે ચાલવા નિકળતા હોય છે કે તેનાથી તેમનું ભોજન પચી જશે અને સાથે જ ચરબી પણ નહીં વધે તો તેઓ ખોટું વિચારી રહ્યા છે. જમ્યા પછી જો કેલરી બર્ન કરવાની વાત કરવામાં આવે તો એક કિલોમીટરની વોક અંદાજે 18 કેલરી બર્ન કરે છે જ્યારે નોર્મલ વોક 70 કેલરી. વાસ્તવમાં આટલા ઓછા સમયમાં બોડી ભોજનના પોષણને મેળવી શકતું નથી. માટે ફરવા જાઓ પરંતુ જમ્યાના અડધો કલાક પછી.
4. તરત જ ફળ ખાવું:
જો તમે ભોજનની સાથે અથવા ભોજન પછી તરત જ ફળ ખાઓ છો તો ફળ પેટમાં જ ચોંટી જાય છે અને બરાબર રીતે આંતરડા સુધી પહોંચી નથી શકતું. એવામાં તેમાથી મળતું પોષણ અધૂરું જ રહી જાય છે. માટે જમ્યાના એક કલાક પછી અથવા જમવાના કેટલાક કલાકો પહેલા જ ફળ ખાવા.
5. સિગરેટ પીવી:
આમ તો સિગરેટ પીવી જ ન જોઈએ. ધુમ્રપાનથી ઘણા રોગો થતા હોય છે. પરંતુ વિશેષજ્ઞો પ્રમાણે જમ્યા પછી તરત જ સિગરેટ પીવી 10 ગણું વધારે જોખમી નિવડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ