ટેલિવિઝનાની પૉપ્યુલર સીરિયલ 'યે હૈ મોહબ્બતે'ના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. હવે તેમની ફેવરિટ સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી આ શોમાં નહી જોવા મળે.
સૂત્રોનુસારહવે 'યે હૈ મોહબ્બતે' સીરિયલની જીવ કહેવાતી દિવ્યાંકા ત્રિપાઠી શો છોડી દેશે. કહેવાઇ રહ્યુ છે કેએકતા કપૂર લાંબા સમયતી ઑન એર થઇ રહેલા આ શોમાં નવા ફેસને લાવવા ઇચ્છે છે. આથી ડિસેમ્બરમાં જ ઈશિતાની એક્ઝિટ થઈ જશે. આ માટે હવે 'યે હૈ મોહબ્બતે' માં ઇશિતા ભલ્લાનું કેરેક્ટર ટૂંક સમયમાં શોને અલવિદા કહી દેશે. ત્યાં સુધી કે ઇશિતાના કેરેક્ટરને ખત્મ કરવા માટે એક પ્લોટ પણ તૈયાર કરવામાં આવી ચૂક્યો છે. કહેવાય છે કે પોતાની દિકરી પીહુને કિડનેપર્સથી બચાવતા ઇશિતાને ગંભીર ઇજા પહોંચી જેનાથી તેની મોત થઇ જશે.
દિવ્યાંકાએ પણ આ શો છોડવાની વાતને લઇને કહ્યુ કે ''ઓડિયન્સ આ શોમાં મને મરતા જોઇ શકશે.''