ગાંધીનગર: વિરોધપક્ષના નેતાને લઈ કોંગ્રેસના ધારાસભ્ય દળની બે દિવસીય બેઠકનો આજે બીજો દિવસ છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો તેમજ બહુમતીથી જીતેલા અને હારેલા દિગ્ગજ ધારસભ્યો પણ સામેલ થશે.
કોંગ્રેસના ધારાસભ્ય દળની મળનારી બેઠકમાં આજે અશોક ગહેલોત જીતેન્દ્રસિંહ ધારાસભ્યોને વન ટુ વન મળી મંતવ્યો જાણશે અને એક રિપોર્ટ તૈયાર કરી હાઈકમાન્ડ મોકલશે. વિપક્ષના નેતાને લઈ આખરી નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ કરશે.
નોંધનીય છે કે બુધવારે પ્રથમ દિવસે ધારાસભ્યો સાથે આગામી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ધારાસભ્યોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. સાથે મોહનસિંહ રાઠવાએ વિપક્ષી નેતા અંગે રાહુલ ગાંધીને સત્તા આપતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.