આપણી જીવન-જરૂરિયાતની વસ્તુઓની સાથે આપણું ભાગ્ય જોડાયેલું છે. જ્યોતિષની માન્યતા અનુસાર આપણા શરીરના અલગ-અલગ અંગોમાં અલગ-અલગ ગ્રહોનો વાસ હોય છે અથવા તો એમ પણ કહી શકીએ કે આપણા અંગો અલગ-અગલ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. પગનું પ્રતિનિધિત્વ કરતો ગ્રહ શનિ છે. શનિ ન્યાયાધીશ છે અને આપણા કર્મો માટે ફળ આપે છે કુંડલીમાં અષ્ટમ એટલે આઠમાં ભાવ શનિ સાથે સંબંધિત છે. જો આ ભાવ અપશુકનિયાળ હોય તો વ્યકિતને ખરાબ સમયનો સામનો કરવો પડે છે. આ માટે જો અપશુકનિયાળ જૂતા પહેરવામા આવે તો વ્યકિતનો ખરાબ સમય શરૂ થઇ જાય છે.
જાણો કયા પ્રકારના જૂતા પહેરવાથી તમારે બચવું જોઇએ..
કોઇ પણ બહારની વ્યકિત દ્વારા જો ભેટ તરીકે જૂતા આપવામાં આવે તો તે પહેરવાનું ટાળવું જોઇએ. આ જૂતા શનિનું દાન હોય છે આ ધારણ કરવાથી શનિ ક્રોધિત થાય છે અને કુંડળીનો અષ્ટમ ભાવ અપશુકનિયાળ થઇ શકે છે.
ફાટેલા-તૂટેલાં જૂતા પહેરવાથી બચવું જોઇએ. જે લોકો ફાટેલાં જૂતાં પહેરે છે તે લોકોને ધન સંબંઘી કામોમાં સરળતાથી સફળતા મળતી નથી.
કાળા જૂતાં તમામ લોકો માટે શુભ માનવામાં આવે છે. કાળો રંગ શનિનો પ્રિય રંગ છે અને આ કારણથી જો કાળા જૂતાં પહેરવામાં આવે તો શનિ તરફથી શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે.
નોકરી કરતા લોકો માટે વાદળી રંગના જૂતા અશુભ માનવામાં આવે છે. નોકરી કરનાર લોકોએ સામાન્ય રીતે કાળાં રંગના જૂતા પહેરવા જોઇએ.
જે લોકો ચિકિત્સાના ક્ષેત્રથી જોડાયેલા છે તેમણે સફેદ કે લીલા રંગના જૂતા પહેરવાથી બચવું જોઇએ. સફેદ રંગના જૂતાં ચંદ્ર અને લીલા રંગના જૂતાંથી બુધનો દોષ વધે છે.
લાલ અને પીળા રંગના જૂતાં પહેરવાથી પણ બચવું જોઇએ કેમકે આ રંગોનાં જૂતાંથી મંગળ અને ગુરુનો દોષ વધે છે.
જ્યોતિષ પ્રમાણે જૂતાં ખોવાઇ જવાનું કે ચોરી થવાનું શુભ માનવામાં આવે છે તેનાથી ખરાબ સમય દુર થાય છે.