સુરેદ્રનગરના 3 સગીર બાળકો ગુમ થઇ ગયાં હતાં.વઢવાણના મોટાપીર ચોક વિસ્તારમાં રહેતા બાળકો બપોરે ઘરેથી નિકળ્યા બાદ ગુમ થઇ ગયાં હતાં. આથી વાલીઓએ રડમસ ચહેરે ફરિયાદ નોંધાવી હતી.પરંતુ આ બાળકો બોટાદના રાણપુરથી હેમખેમ મળી આવતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે 3 કિશોર મિત્રો ઘરેથી કાંઇ જ કિધા વગર બહાર ફરવા નીકળ્યા હતા પરંતુ મોડે સુધી તેઓ ઘરે નહીં ફરતા પરિવારજનો વ્યથીત થઇ ગયા હતા અને વાતને ગંભીરતાથી લઇને તેમણે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુમ થયેલા ત્રણેય કિશોરને શોધવા પોતાના સુત્રો ગતિમાન કર્યા હતા. અંતે આ 3 કિશોર રાણપુર ખાતેથી મળી આવતા પરિવારજનો સહિત પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
આપને જણાવી દઇએ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાના બાળકોને ઉપાડી જવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આવી પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી પણ એક લોકમાંગ ઉઠવા પામી છે.