સુરતના કતારગામમાં વિદ્યાર્થીએ ફીનાઇલ પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે હાહાકાચ મચી ગયો હતો.
આપઘાતના પ્રયાસ મામલે જિલ્લાના શિક્ષાણાધિકારી કચેરીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. શાળાના સંચાલકોને શાળાની માન્યતા રદ્દ કરવાની નોટિસ આપવામાં આવી છે. શાળાના સંચાલકોને 7 દિવસમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મહત્વનુ છે કે શાળામાં ફી ભરવા માટે દબાણ કરતા વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે આચાર્ય ટ્રસ્ટી અને શિક્ષક સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.