ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને રામ-રામ કરીને અહેમદ પટેલ માટે જીતવું દુશ્કર બનાવી દેનારા શંકરસિંહ વાઘેલાએ હવે જન વિકલ્પ મોરચાના નેજા હેઠળ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં મેદાને પડવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગાંધીનગર વૈજનાથ ધામના દર્શન કરીને બાપુએ સંકલ્પ લેતાં જણાવ્યું હતું કે જેણે જે કહેવુ એ કહે મારે કોઇના સર્ટિફેકેટની જરૂર નથી. વિકલ્પ મારો સાચો છે.
સંકલ્પ જ સાચો વિકલ્પ છે. વિકલ્પ ગુજરાતની પ્રજા માટે છે. મારા માટે નથી ભાજપ કોંગ્રેસ માટે વિકલ્પ છે. ગુજરાતમા નંબર વન સરકાર બનશે.