રાજકોટઃ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમા રાખી જનવિકલ્પના નવા પક્ષ સાથે શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડવા જઇ રહ્યા છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ રાજકોટ સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજી હતી. જયાં બાપુએ કોંગ્રેસ અને ભાજપ કર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ 1990થી વિધાનસભાની ચૂંટણીમાં હારતી આવે છે. અને ત્રીજો પક્ષ હોય કે ન હોય કોંગ્રેસ હારે જ છે.
ત્યારે ભાજપ પ્રત્યે લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવા સમયે લોકો જ પોતાના ઉમેદવારને નક્કી કરી જનવિકલ્પ માટે ચૂંટી અને પોતાના પ્રશ્રનો ઝડપથી દૂર કરે. આગામી વિધાનસભામાં જનવિકલ્પ 182 સીટ પર મહિલા યુવાનો અને શિક્ષિત વર્ગને ઉમેદવાર તરીકે પસંદ કરશે.