અયોધ્યાઃ એક વાર ફરી રામ મંદિર મુદ્દો રાજકીય અને ધાર્મિક રીતે ચર્ચાનો વિષય બન્યો છે. રામ મંદિર બાબરી મસ્જીદ મામલા પર કોર્ટ સુનાવણી કરી રહી છે. ત્યારે બીજી તરફ રામ રાજ્ય રથયાત્રા આજથી અયોધ્યાથી નીકળવાની છે.
આ રથ યાત્રા 39 દિવસ સુધી મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ સહિત દેશના 6 રાજ્યમાંથી પસાર થશે. આ યાત્રા દરમિયાન 40 સભાઓનું આયોજન કરવામાં આવશે. આજથી શરૂ થઇ રહેલી આ યાત્રાને યૂપીના સીએમ યોગી આદિત્યનાથ લીલી ઝંડી દેખાડશે.
રથયાત્રા દરમિયાન જે સભાઓ થવાની છે. તેના માટે અલગ અલગ રાજ્ય સરકાર પાસે પરવાનગી લઇ લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રાજ્યોને રામ રાજ્ય રથ યાત્રાની સુરક્ષા ગોઠવવા કહી દીધું છે.
આ યાત્રાનું સમાપન 23 માર્ચે રામેશ્વરમમાં થવાનું છે. આ રથ યાત્રાનું આયોજન મહારાષ્ટ્રની સંસ્થા રામદાસ મિશન યૂનિવર્સલ સોસાયટી કરી રહી છે. પણ આ સંસ્થાને RSSનું સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.