ગાંધીનગર: પદ્માવત ફિલ્મ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે ક્ષત્રિય સમાજના વિરોધને પગલે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
આ મામલે સરકાર દ્વારા વચગાળાના સ્ટે અંગે અભ્યાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. આ ફિલ્મને ભારતીય સંસ્કૃતિને તોડી મરોડીને રજૂ કરવામાં આવી હતી. જેથી કરણીસેના દ્વારા આ ફિલ્મનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે પદ્માવત ફિલ્મનો 4 રાજ્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આજે સુપ્રીમ કોર્ટના ચપકાદાના હિસાબે કોઇ રાજ્ય પાસે ફિલ્મની રિલીઝ અટકાવવાનો કોઇ હક નથી. જેના કારણે ભારતભરમાં 25 જાન્યુઆરીના રોજ પદ્માવત રિલીઝ થશે.